Monday, March 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદ નારણપુરામાં ધોળા દિવસે વેપારી લૂંટાયો

સાત લાખ રૂપિયા લૂંટીને લૂંટારુઓ સ્કૂટર પર ફરાર

aaspassdaily by aaspassdaily
2023-09-04 12:01:56
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમદાવાદમાં લૂંટારુઓ બેફામ બન્યા છે. શહેરમાં ધોળા દિવસે થયેલી લૂંટે વેપારી આલમમાં ચકચાર જગાવી દીધી છે. નારણપુરામાં વેપારી પાસેથી સાત લાખ રૂપિયા લૂંટીને લૂંટારુઓ સ્કૂટર પર ફરાર થઈ ગયા હતા. નારણપુરામાં વિજયનગર પેટ્રોલ પમ્પ પાસે લૂંટની આ ઘટના બની હતી.
વેપારી પાસે સાત લાખ રૂપિયા રોકડા હતા. લૂંટારુઓ છેક મિરઝાપુરથી વેપારીનો પીછો કરતા હતા અને નારણપુરામાં છેવટે વિજયનગર ખાતેના પેટ્રોલ પમ્પ પાસે વેપારીને અટકાવ્યો હતો. તેની પાસેથી છરીને અણીએ સાત લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. જો કે વેપારીએ ગુનેગારોનો પ્રતિકાર કરવાના બદલે તેને રૂપિયા આપી દેતા તેનો જીવ બચી ગયો હતો. શહેરમાં ધોળા દિવસે લૂંટના બનાવના પગલે પોલીસમાં પણ હડકંપ મચી ગયો છે. પોલીસે તરત જ ઘટનાની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ રોકડ રૂપિયા લઈને જનારા વેપારી પાસેથી ગુનેગારોની વિગતો મેળવવા ઉપરાંત નારણપુરાના આસપાસના રસ્તાના સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે. પોલીસે વેપારી પાસેથી ગુનેગારોની ઊંચાઈ અંગે વર્ણન મેળવ્યું છે. તેની સાથે દરેક પોલીસ નાકાને આ અંગે સાવધ કરી દેવાયા છે. પણ ધોળા દિવસે બનેલા બનાવના સમાચાર ફેલાવવાના પગલે વેપારી આલમમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. વેપારીઓમાં ચિંતા બેઠી છે કે દરેક વેપારી તેની પાસેથી કેટલાય રૂપિયાનો માલસામાન લઈ અવરજવર કરતો હોય છે. આ સંજોગોમાં આ રીતે જો ધોળા દિવસે લૂંટફાટ થવા માંડશે તો પછી તેમની સલામતીનું શું થશે. સલામતી અને સુરક્ષા વગર કારોબાર પણ કેવી રીતે કરી શકાશે. પોલીસે વેપારી આલમને ત્વરિત પગલા લઈને તપાસ કરીને આરોપીઓને ઝડપવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું છે.

Previous Post

‘મારી જાણ બહાર મને ફરિયાદી બનાવ્યો’: સિક્યોરિટી ગાર્ડે વીડિયો કર્યો વાયરલ

Next Post

સુખદ અંત: વિવાદિત ભીંતચિત્રો દૂર

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ઓડિશામાં હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગથી ૧૦ના મોત

March 16, 2026
તાજા સમાચાર

બિહાર, હરિયાણા અને ઓડિશાની ૧૧ રાજ્યસભા બેઠક માટે આજે મતદાન

March 16, 2026
આંતરરાષ્ટ્રીય

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો : ઇંધણની ટાંકીમાં આગ

March 16, 2026
Next Post
સુખદ અંત: વિવાદિત ભીંતચિત્રો દૂર

સુખદ અંત: વિવાદિત ભીંતચિત્રો દૂર

સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યને લઇ સંતો મેદાને, આજે લીંબડીમાં મહાસંમેલન

સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યને લઇ સંતો મેદાને, આજે લીંબડીમાં મહાસંમેલન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.