શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો કે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના ઉદ્દઘાટન માટે દેશમાંથી મોટી સંખ્યામાં લોકો આવશે અને આ સમારંભમાં સામેલ થઇને પરત ફરતા લોકો સાથે ‘ગોધરા કાંડ’ જેવી ઘટના બની શકે છે. ગોધરામાં 27 ફેબ્રુઆરી, 2002માં સાબરમતી એક્સપ્રેસમાં અયોધ્યા જતા કાર સેવકો પર હુમલો કરવામાં આવ્યો હતો અને ડબ્બામાં આગ લગાવવામાં આવી હતી. આ ઘટનામાં કેટલાક લોકોના મોત થયા હતા અને તે પછી રાજ્યમાં રમખાણ ફાટી નીકળ્યા હતા. મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલા ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉત પણ આવું જ નિવેદન કરી ચુક્યા છે.
જલગાંવમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, “એવી શક્યતા છે કે સરકાર રામ મંદિરના ઉદ્દઘાટન માટે બસ અને ટ્રકમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરી શકે છે અને તેમના પરત ફરવા દરમિયાન ‘ગોધરા કાંડ’ જેવી ઘટના બની શકે છે. રામ મંદિરનું ઉદ્દઘાટન લોકસભા ચૂંટણીના કેટલાક મહિના પહેલા જાન્યુઆરી, 2024માં થવાની સંભાવના છે. ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને RSSની ટિકા કરતા કહ્યું કે તેમની પાસે એવી હસ્તીઓ નથી, જેમણે લોકો પોતાના આદર્શ માની શકે, જેને કારણે તે સરકાર પટેલ અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જેવા દિગ્ગજોને અપનાવી રહ્યાં છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, “હવે તે (ભાજપ-આરએસએસ) મારા પિતા બાલ ઠાકરેના વારસા પર દાવો કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.” શિવસેના (UBT) પ્રમુખે દાવો કર્યો કે ભાજપ અને આરએસએસની પોતાની કોઇ સિદ્ધિ નથી અને સરકાર પટેલનું સ્ટેચ્યુ (કેવડિયામાં 182 મીટર ઉંચું સ્ટેચ્યૂ ઓફ યૂનિટી)નો આકાર મહત્ત્વ નથી ધરાવતો પણ આ તેમની સિદ્ધિ મહત્ત્વ ધરાવે છે, તેમણે કહ્યું કે આ લોકો (ભાજપ અને આરએસએસ) સરકાર પટેલની મહાનતાની નજીક પણ નથી. ભાજપ 2019 વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસ અને NCP સાથે હાથ મીલાવીને મુખ્યમંત્રી બનવા માટે બાલ ઠાકરેના આદર્શોને ત્યાગવા માટે અવાર નવાર ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતું રહ્યું છે.