Monday, December 8, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બ્રહ્મ સ્વરૂપ સ્વામીજી 10 દિવસમાં માફી નહિ માંગેફોજદારી કાર્યવાહી : ખોડલધામ

બ્રહ્મસ્વરૂપ સ્વામીની માઁ ખોડિયાર ઉપર વિવાદિત ટિપ્પણીથી ભક્તો ગુસ્સે

aaspassdaily by aaspassdaily
2023-09-13 11:27:39
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સ્વામીનારાયણ સંતોના વિવાદાસ્પદ નિવેદનો હવે ચર્ચા જગાવી રહ્યાં છે. સાળંગપુરના ભીંતચિત્રોનો વિવાદ હજી શમ્યો નથી, ત્યાં વધુ એક સ્વામીનારાયણ સ્વામીનો બફાટ સામે આવ્યો છે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ખોડિયાર માતાજી પર વિવાદિત ટિપ્પણી કરતા ખોડલધામથી વિરોધનો સૂર ઉઠ્યો છે. ખોડલધામે કહ્યું કે, આ પ્રકારની વિવાદિત ટિપ્પણી નહિ ચલાવી લેવાય.
લાખો પરિવારોના સદીઓથી કુળદેવી જોગમાયા ખોડિયાર માતાજી વિશે બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ બફાટ કર્યો છે. જેથી ભક્તોની લાગણી દુખાઈ છે. બ્રહ્મસ્વરૂપના બફાટ સામે ખોડલધામે કડક શબ્દોમાં ચેતવણી આપી છે. લેઉઆ પાટીદારોના આસ્થા કેન્દ્રએ જણાવ્યું કે, ભક્તોની લાગણી દુભાઈ છે, માટેલ મંદિરે સ્વામી પાસે માફીની માંગ કરી છે. ખોડલધામ ટ્રસ્ટે ગઈકાલે બેઠક કરી હતી, જેના બાદ નિવેદન જાહેર કરાયું કે, ખોડલ મા પ્રત્યે સર્વ સમાજના લોકો આસ્થા ધરાવે છે. ત્યારે આવી વિવાદિત ટિપ્પણીથી ભક્તોની લાગણી દુભાય છે. તેથી ભવિષ્યમાં આવી કોઈ પ્રકારની ટિપ્પણી કરવામાં ન આવે. આ માટે મોટલ ખોડિયાર માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું કે, આ પ્રકારના નિવેદન ખોટું અને હીનકક્ષાનું છે. તેનાથી સમાજમાં અશાંતિનું વાતાવરણ પ્રસરે છે. તેથી બ્રહ્મ સ્વરૂપ સ્વામીજી 10 દિવસમાં માફી નહિ માંગે તો તેમની વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરીશું.
વાયરલ વીડિયોમાં બ્રહ્મસ્વરૂપ સ્વામી જણાવી રહ્યાં છે કે, સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય. સ્વામિનારાયણમાં આવો એટલે ખોડિયાર માતા પણ ખુશ થાય છે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ જણાવ્યું કે, ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચવ્યું હતું. તેમણે એવું પણ કહ્યું કે, જોબનપગીના કુળદેવી ખોડિયાર માતા છે પણ આપણા ભગત થયા એટલે તેમન કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે. ઘણા લોકો કુળદેવીને પકડીને રાખે છે મુક્તા જ નથી પણ મુકી દેવા પડે છે કેમ કે કુળદેવી નારાજ થાઈ જશે, નારાજ ના થાય એટલે પગે લાગે. બ્રહ્મ સ્વામીએ કહ્યું કે, મહારાજ રંગોત્સવ કરીને જ્યારે જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પુછ્યું, કે આ કોણ છે? ત્યારે તેમણે કહ્યું કે આ અમારા કુળદેવી છે. મહારાજે પોતાના ભીના કપડા નીચોવી માતાજી પર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા.

Previous Post

રાજસ્થાનમાં ભાવનગરની બસનો અકસ્માત: 11ના મોત

Next Post

લંડનમાં ભારતીય રાજદૂતાવાસમાં હિંસા આચરનારા 15 ખાલિસ્તાનીઓની એનઆઇએ કરી ઓળખ

aaspassdaily

aaspassdaily

Related News

અમેરિકામાં પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીર પર પ્રતિબંધોની માંગ
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીર પર પ્રતિબંધોની માંગ

December 6, 2025
ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ સંચાલન કટોકટી યથાવત રહેશે : નિયમોમાં છૂટ અંગે માગી મુદ્દત
તાજા સમાચાર

પાંચ દિવસમાં ઇન્ડિગોની ૨૦૦૦ ફ્લાઇટ રદ્દ થતા યાત્રિકો અટવાયા

December 6, 2025
આખરે ઇચ્છા પૂરી થઈ : અમેરિકન પ્રમુખને ફીફાએ શાંતિ પુરસ્કારથી સન્માનિત કર્યા
આંતરરાષ્ટ્રીય

આખરે ઇચ્છા પૂરી થઈ : અમેરિકન પ્રમુખને ફીફાએ શાંતિ પુરસ્કારથી સન્માનિત કર્યા

December 6, 2025
Next Post
લંડનમાં ભારતીય રાજદૂતાવાસમાં હિંસા આચરનારા 15 ખાલિસ્તાનીઓની એનઆઇએ કરી ઓળખ

લંડનમાં ભારતીય રાજદૂતાવાસમાં હિંસા આચરનારા 15 ખાલિસ્તાનીઓની એનઆઇએ કરી ઓળખ

કેરલમાં નિપાહ વાયરસથી બે લોકોના મોત

કેરલમાં નિપાહ વાયરસથી બે લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.