હાલમાં દેશના કેટલાક ભાગોમાં ‘સ્ક્રબ ટાઈફસ’ નામના ભયંકર બીમારીનો ડર લોકોમાં જોવા મળી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં સ્ક્રબ ટાયફસના 973 કેસ નોંધાયા છે અને આ બીમારીને કારણે 10 અને ઓડિશાની વાત કરીએ તો અહીં 5 લોકોના મોત થયા છે.
સ્ક્રબ ટાઈફસ એક બેક્ટેરિયમથી સંક્રમિત ચાંચડના કરડવાથી ફેલાય છે જે ખેતરો, ઝાડીઓ અને ઘાસમાં રહેતા ઉંદરોમાં વિકશે છે. બેક્ટેરિયા ત્વચા દ્વારા ફેલાય છે અને સ્ક્રબ ટાઈફસ તાવનું કારણ બને છે. તબીબોની કહેવું છે કે,આ દિવસોમાં લોકોએ ઝાડીઓથી દૂર રહેવું જોઈએ અને ઘાસ વગેરેની વચ્ચે ન જવું જોઈએ, પરંતુ ખેડૂતો માટે આ શક્ય નથી, કારણ કે આગામી દિવસોમાં ખેતરો અને બગીચાઓમાં ઘાસ કાપવાનું વધુ કામ છે. આ જ કારણ છે કે ખેડૂતો અને માળીઓ સ્ક્રબ ટાઈફસનો શિકાર થવાની શક્યતા વધુ છે.
સ્ક્રબ ટાઈફસના કિસ્સામાં, દર્દીને ખૂબ જ તાવ આવે છે જે 104થી 105 સુધી જઈ શકે છે. તેના લક્ષણો સાંધામાં દુ:ખાવો અને ધ્રુજારી, ઠંડી સાથે તાવ, શરીરમાં ખેંચાણ, અકડાઈ કે શરીર તૂટેલું લાગવું, ગંભીર ચેપના કિસ્સામાં, ગરદન, હાથ અને હિપ્સની નીચે ગઠ્ઠો વગેરે તેના લક્ષણો છે.




