ઉત્તર પ્રદેશની યોગી સરકાર રાજધાની લખનૌમાં નવી વિધાનસભાની રચના કરશે. આગામી ચૂંટણી પહેલા તેનું કામ પૂર્ણ કરવામાં આવશે. યુપી સરકાર 25મી ડિસેમ્બરે અટલજીના જન્મદિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે શિલાન્યાસ કરવામાં આવશે . તેના નિર્માણ કાર્યમાં અંદાજે 3 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. તેનું બાંધકામ 2027 પહેલા પૂર્ણ થઈ જશે.
મળતી માહિતી મુજબ, રાજ્યની યોગી સરકાર રાજધાની લખનૌમાં નવી વિધાનસભાની રચના કરશે. ડિસેમ્બર 2023માં તેનો શિલાન્યાસ થઈ શકે છે અને તેનું નિર્માણ કાર્ય પણ 2027 પહેલા પૂર્ણ થઈ જશે. સરકાર 25 ડિસેમ્બર 2023ના રોજ અટલજીના જન્મદિવસ પર પીએમ મોદી દ્વારા તેનો શિલાન્યાસ કરવા માંગે છે.
વર્તમાન એસેમ્બલી બિલ્ડિંગ લગભગ 100 વર્ષ જૂની છે. તે લખનૌના હઝરતગંજમાં આવેલું છે. વિધાનસભાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે જગ્યા ઓછી હોવાના કારણે ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડે છે. ભવિષ્યમાં સભ્યોની સંખ્યા અને અન્ય જરૂરિયાતોને ધ્યાને લઈ નવી વિધાનસભાની જરૂરિયાત અનુભવાઈ રહી છે. ભાવિ સીમાંકનને ધ્યાનમાં લેતાં વર્તમાન વિધાનસભા ખૂબ જ નાની પુરવાર થશે.આવી સ્થિતિમાં યોગી સરકારનો ઉદ્દેશ્ય એ છે કે 18મી વિધાનસભાનું ઓછામાં ઓછું એક સત્ર નવા વિધાન ભવનમાં યોજવામાં આવે. વર્તમાન વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન 1928માં થયું હતું. સાથે જ 2027 પહેલા નવનિર્મિત વિધાનસભાનું ઉદ્ઘાટન કરવાનું લક્ષ્ય છે. નોંધનીય છે કે નવા વિધાન ભવનનો પ્રસ્તાવ પસાર થઈ ચૂક્યો છે


