દેશમાં સનાતન ધર્મની પુનઃસ્થાપના કરનાર આદિ શંકરાચાર્યના સન્માનમાં આજે મધ્યપ્રદેશમાં એક મોટો કાર્યક્રમ યોજાશે. આ દરમિયાન ખંડવા જિલ્લામાં 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.
આ વર્ષે મધ્યપ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષો પૂરા દિલથી કામ કરી રહ્યા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે ખંડવા જિલ્લાના ઓમકારેશ્વર ખાતે હિન્દુ સંત આદિ શંકરાચાર્યની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરશે. ઓમકારેશ્વર એ ખંડવા જિલ્લામાં નર્મદા નદીના કિનારે આવેલું મંદિરોનું શહેર છે, જ્યાં શંકરાચાર્યની આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.


