દેશમાં એક સાથે ચૂંટણીની સંભાવના પર વિચાર માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં બેઠક મળશે. આ બેઠકમાં સંભાવના પર આગળ વધવાની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. આ સાથે જ ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા લોકો સાથે રચ્ચા કરીને કાર્યક્રમ નક્કી કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે બે સપ્ટેમ્બરે નોટિફિકેશન જાહેર કરીને દેશમાં લોકસભા, રાજ્ય વિધાનસભા, સ્થાનિક ચૂંટણી એક સાથે કરાવવાની સંભાવના પર વિચાર માટે આઠ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી. નોટિફિકેશનમાં સમિતિમાં એક સાથે ચૂંટણીનો રિપોર્ટ જલ્દી આપવા કહેવામાં આવ્યું છે. શનિવારે મળનારી બેઠકમાં યોજના તૈયાર કરવામાં આવશે.
પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદની અધ્યક્ષતા ધરાવતી આ સમિતિમાં ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યસભામાં વિપક્ષના નેતા રહી ચુકેલા ગુલામનબી આઝાદ અને નાણા આયોગના પૂર્વ ચેરમેન એનકે સિંહ સામેલ છે. આ સમિતિમાં લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીને પણ સામેલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમણે આ સમિતિનો સભ્ય બનવાનો ઇનકાર કર્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે આ સમિતિની રચના અને તેમના ઉદ્દેશ્યને લઇને વિપક્ષી ગઠબંધન INDIAએ સવાલ ઉઠાવ્યા છે.