ન્યાયમૂર્તિ અભય એસ ઓકા અને પંકજ મિથલની ખંડપીઠે આદેશ આપ્યો કે દોષિત દિનેશ ઉર્ફે પોલ ડેનિયલ ખાજેકરને બોમ્બે હાઈકોર્ટ દ્વારા અપીલના અંતિમ નિકાલ સુધી જામીન પર મુક્ત કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે હત્યાના આરોપીની સજાને સ્થગિત કરી તેને જામીન આપી દીધા છે. ટ્રાયલ કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી અને તે 11 વર્ષથી વધુ સમય સુધી જેલમાં રહ્યો હતો.
ન્યાયમૂર્તિ અભય એસ ઓકા અને પંકજ મિથલની ખંડપીઠે આદેશ આપ્યો કે દોષિત દિનેશ ઉર્ફે પોલ ડેનિયલ ખાજેકરને બોમ્બે હાઈકોર્ટ દ્વારા અપીલના અંતિમ નિકાલ સુધી જામીન પર મુક્ત કરવામાં આવે. દિનેશ ખાજેકરની 20 વર્ષની ઉંમરે ધરપકડ કરવામાં આવી હતી દિનેશની 29 ઓક્ટોબર, 2011ના રોજ તેની અને અન્યો વચ્ચે ઝપાઝપીમાં એક વ્યક્તિના મૃત્યુના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તેની ઉંમર વીસ વર્ષની હતી. તેમના વકીલના જણાવ્યા અનુસાર તેઓ હાલમાં 32 વર્ષના છે અને તેમની અપીલ છેલ્લા છ વર્ષથી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.
બોમ્બે હાઈકોર્ટે 7 ફેબ્રુઆરીના તેના આદેશમાં તેની સજાને સ્થગિત કરવાનો ઈન્કાર કર્યા બાદ તેણે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. સર્વોચ્ચ અદાલતેતેના આદેશમાં જણાવ્યું હતું કે, હાઈકોર્ટે ક્રિમિનલ પ્રોસિજર, 1973ની કલમ 389 હેઠળ અપીલકર્તાને રાહત આપવી જોઈતી હતી. તેથી, અપીલકર્તા (દિનેશ)ને હાઇકોર્ટ સમક્ષની અપીલના અંતિમ નિકાલ સુધી જામીન પર મુક્ત કરવામાં આવે.
દિનેશ તરફથી હાજર રહેલા એડવોકેટ સના રઈસ ખાને જણાવ્યું હતું કે કથિત ગુના માટે ટ્રાયલ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા સંભળાવનાર અપીલકર્તા 11 વર્ષથી જેલમાં છે અને તેની અપીલ છેલ્લા છ વર્ષથી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. તેમણે દલીલ કરી હતી કે આ કેસમાં ત્રણ પ્રત્યક્ષદર્શી સાક્ષીઓ છે અને કોઈ સ્વતંત્ર સાક્ષીની તપાસ કરવામાં આવી નથી, ગુનો કથિત રીતે જાહેર સ્થળે કરવામાં આવ્યો હતો.





