સુરતનો એક પાંચમા ધોરણમાં ભણતો બાળક ગણપતિ વિસર્જન નિહાળવા ડુમસના દરિયામાં પહોંચ્યો હતો. જયાં તે દરિયાના પાણીમાં તણાઈ ગયો હતો. લખન નામના આ બાળકને તરતા નહોતું આવડતું પણ તેના હાથમાં ગણપતિની મૂર્તિનું લાકડુ હાથમાં આવતા તેના સહારે તે દરિયામાં લગભગ 24 કલાક સુધી ભૂખ્યા તરસ્યો તરતો રહ્યો હતો. દરમિયાન ત્યાંથી નીકળેલી ‘નવદુર્ગા’ નામની નાવ જોઈ લખને બુમ પાડતા માછીમારો લખન પાસે પહોંચ્યા હતા અને લખનને બચાવી લીધો હતો.
લખન દરિયામાં તણાઈ ગયાની જાણ પરિવારને થતા પરિવારે શોધખોળ ચલાવી હતી. પરંતુ તે હાથ નહીં લાગતા પરિવારે તે જીવતો હોવાની આશા પણ છોડી દીધી હતી પરંતુ 36 કલાક બાદ લખન ઘરે પાછો પરતા ઘેર માતમની જગ્યાએ આનંદ છવાઈ ગયો હતો. બચાવાયેલા લખનને નવસારીના ધોવામી બંદરે લાવવામાં આવ્યો હતો. જયાં એમ્બ્યુલન્સે પહોંચીને લખનને તાત્કાલિક સારવાર અપાઈ હતી. બીજી બાજુ હોસ્પીટલ દાખલ થયેલ અને દરીયામાં 24 કલાક માતે સામે બાથ ભીડનાર બાળક લખનને નિહાળવા હોસ્પીટલે ભીડ એકઠી થઈ હતી. ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે પણ હોસ્પીટલે પહોંચીને તેના હાલચાલ જાણ્યા હતા અને તેને શાબાસી આપી હતી.





