રાજ્યમાં હવામાન વિભાગે 15 અને 16 ઓક્ટોબરે વરસાદની આગાહી કરી છે. 15 ઓક્ટોબરે નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે પહેલા અને બીજા નોરતે વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર,દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક ભાગમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.