નવરાત્રીના પ્રારંભ સાથે તહેવારી સીઝનનો પ્રારંભ થઈ ગયો છે. પવિત્ર તહેવારોમાં નાનાથી નાનો અને મોટો વર્ગ પણ હજારો-લાખો રૂપિયાનો ખર્ચ કરે તેમ હોવાથી કોર્પોરેટ જગત સજજ બન્યુ છે. મકાન-ફલેટના રીનોવેશન, મોબાઈલ-ઈલેકટ્રોનીક ચીજો, વાહન તથા કપડા ખરીદી પાછળ સૌથી વધુ ખર્ચ થશે. અર્ધોઅર્ધ વસતી સરેરાશ રૂા.10000થી વધુનો ખર્ચ કરશે જે ગત વર્ષ કરતા અઢી ગણો વધુ હશે.
શેચ્ચેટ એન્ડ મોજ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં એવુ બહાર આવ્યુ છે કે, ભારતીય વ્યક્તિ તહેવારોમાં સરેરાશ 10000થી વધુનો ખર્ચ કરશે જે ગત કરતા 2.50 ગણો વધુ રહેશે. વિજય સેલ્સના મેનેજીંગ પાર્ટનર નિલેશ ગુપ્તાએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષ કરતા પણ આ વખતે ગ્રાહકોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. લોકો જુના થયેલા કન્ઝયુમર ડયુરેબલ ખરીદી રહ્યા છે. જાણીતી બ્રાન્ડ ઝીરો ઈએમઆઈની ઓફર આપતી હોવાથી વધારાનું આકર્ષણ છે. ગોદરેજ એપ્લાયન્સીઝના બીઝનેશ હેડ કમલ નંદીએ કહ્યું કે સોનમ વખત 35 ટકાની વેચાણ વૃદ્ધિ જોવા મળી હતી. હવે દિવાળી સુધી આ વૃદ્ધિદર જારી રહી શકે છે. ગત વર્ષ કરતા 30થી40 ટકાનું વેચાણ વધી શકે છે.
ઉદ્યોગ નિષ્ણાંતોના કહેવા પ્રમાણે દિવાળીને ડ્રાયફ્રુટ તથા મીઠાઈની ગીફટનો ટ્રેન્ડ પણ વધતો રહ્યો છે. નમકીન જેવી ચીજોના વેચાણમાં પણ વૃદ્ધિ છે. ગ્રામ્ય સ્તરે અત્યારથી જ સ્ટોકના ઓર્ડર મળવા લાગ્યા હોવાને કારણે સીઝન ઘણી સારી રહી શકે છે. ટોપ-3 ખર્ચ કેટેગરીમાં મોબાઈલ-કપડા ઉપરાંત ઘરની સજાવટ- રીનોવેશનની ચીજોની ખરીદીનો સમાવેશ થાય છે.