યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના આરએસ પુરા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર કર્યો છે. જેમાં BSFના બે જવાનો ઘાયલ થયા છે. બીએસએફના અધિકારીઓએ આ માહિતી આપી હતી. પાક રેન્જર્સે પાકિસ્તાનની ઈકબાલ અને ખન્નોર ચોકીઓ વચ્ચે સૈનિકો પર ગોળીબાર કર્યો હતો.
રાત્રે 10.30 કલાકે ગોળીબારની જાણ કરવામાં આવી હતી જે બાદ બે જવાનો ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે પાકિસ્તાને ગોળીબાર કર્યો ત્યારે બોર્ડર સિક્યોરિટી ફોર્સના બે જવાન ઈલેક્ટ્રીક લાઈટો લગાવવાનું કામ કરી રહ્યા હતા. તે જ સમયે, આ ઘટના બાદ ભારતીય જવાનોએ જવાબી કાર્યવાહી કરી હતી. સૈનિકોએ પાકિસ્તાન ચોકીઓ ઈકબાલ અને ખન્નૌર તરફ ગોળીબાર કર્યો.
આ ઘટના આંતરરાષ્ટ્રીય સરહદના નજીક બની હતી. સીમા સુરક્ષા દળના બે જવાનો ઇલેક્ટ્રિક લાઇટનું કામ કરાવી રહ્યા હતા. તે બોર્ડરથી લગભગ 60 મીટર અને બોર્ડર પોસ્ટ વિક્રમથી લગભગ 1500 મીટર દૂર હતું. ઘાયલ થયેલા બીએસએફ જવાનોમાં સુરજીત બિસ્વાસ અને આલુકનો સમાવેશ થાય છે. તે જ સમયે, પાકિસ્તાનની આ કાર્યવાહી બાદ, પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર નિયંત્રણ રેખા પર સુરક્ષા કડક કરવામાં આવી છે. પાકિસ્તાન દરરોજ સરહદ પર ઘૂસણખોરી, હથિયારો અને ડ્રગ્સની દાણચોરીનું ષડયંત્ર રચે છે. આ ગોળીબાર પાછળનું કારણ બીએસએફનું ધ્યાન હટાવવાનું અને સરહદ પારથી આતંકવાદીઓની ઘૂસણખોરી અથવા દારૂગોળો મોકલવાનું હોઈ શકે છે.