મોદી સરકાર ખેડૂતોની આવક બમણી કરવા પર સતત ધ્યાન આપી રહી છે. સરકારે ગરીબ ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને પ્રધાનમંત્રી ફસલ યોજના શરૂ કરી છે. ગઈકાલે કેબિનેટની બેઠકમાં જ પાકની MSP વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે દેશમાં મુખ્ય પાકોનું વિક્રમી ઉત્પાદન થવાની ધારણા છે.
1.40 કરોડ ટન વધુ ઉત્પાદન થવાની ધારણા
કૃષિ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા અંદાજ મુજબ, 2021-22ની સરખામણીમાં 2022-23માં 1.40 કરોડ ટન વધુ અનાજનું ઉત્પાદન થવાની ધારણા છે. આ તમામ આંકડાઓથી ખેડૂતોની આવક બમણી કરવાનું મોદી સરકારનું વચન પૂરું થઈ શકે છે. નાબાર્ડના તાજેતરના અહેવાલમાં સામે આવ્યું છે કે 10 કરોડ ખેડૂત પરિવારો ખેતી પર નિર્ભર છે. છેલ્લા બે વર્ષમાં જીડીપીમાં કૃષિનો હિસ્સો પણ ઝડપથી વધ્યો છે. 2020-21માં જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો 17.8 ટકાથી વધીને 20 ટકા થયો છે.
10 કરોડ પરિવારોને થશે ફાયદો!
ખેડૂતોની આવકમાં વધારો થવાથી 10 કરોડ પરિવારોને સીધો ફાયદો થશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ આ વખતે મુખ્ય પાકોનું રેકોર્ડ ઉત્પાદન થવાની ધારણા છે. આ અંગે કેન્દ્રીય કૃષિ અને કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, દેશના ખેડૂતો સતત મહેનત કરી રહ્યા છે. પીએમ મોદીના નેતૃત્વમાં કૃષિ મંત્રાલય દ્વારા ખેડૂતોને લગતી યોજનાઓ લાગુ કરવામાં આવી રહી છે. દરેકના પ્રયાસોની અસર ખેતીમાં રેકોર્ડ ઉત્પાદનના રૂપમાં જોવા મળી રહી છે.
ઉત્પાદન વધીને 32.96 કરોડ ટન થવાની ધારણા
કૃષિ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 2022-23માં ઉત્પાદન વધીને 329.6 મિલિયન ટન થવાની ધારણા છે. જે 2021-22ના 31.56 કરોડ ટન કરતાં 1.40 કરોડ ટન વધુ છે. એટલું જ નહીં, વર્તમાન વર્ષનું અનાજ ઉત્પાદન છેલ્લા પાંચ વર્ષના સરેરાશ ઉત્પાદન કરતાં 39 મિલિયન ટન વધુ છે. મંત્રાલયને આ વર્ષે 135.7 મિલિયન ટન ચોખા, 110.5 મિલિયન ટન ઘઉં, 57.3 મિલિયન ટન બરછટ અનાજ અને 38 મિલિયન ટન મકાઈનું ઉત્પાદન થવાની અપેક્ષા છે. શેરડીનું ઉત્પાદન 4,905 લાખ ટન અને કપાસનું 3.36 કરોડ ટન થવાનો અંદાજ છે.