ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ભારત અને અમેરિકા વચ્ચે 9 અને 10 નવેમ્બરે બેઠક યોજાય તેવી શક્યતા છે. આ બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ, યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન અને રક્ષા મંત્રી લોયડ જે ઓસ્ટિન હાજર રહેશે.
આ બેઠકમાં ભારતીય-અમેરિકન નેતાઓ વચ્ચે ઈઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે ઉભી થયેલી સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ તેમજ વૈશ્વિક અને ક્ષેત્રીય સુરક્ષા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. આ ટુ-પ્લસ-ટુ બેઠક એક રાજદ્વારી સમિટ છે, જે 2018માં શરૂ થઈ હતી. 2023ના અંતમાં યોજાનારી આ બેઠક સમિટની પાંચમી આવૃત્તિ છે, જેમાં ભારત અને અમેરિકા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા કરશે.