સાબરકાંઠા જિલ્લાના ચડોતરૂ ગામમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે. બે દિવસ પહેલા સ્વિફ્ટ કાર અને બાઈકનો સામસામે અથડાયા હતા અને અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પરસાડા ગામનો 25 વર્ષીય યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયૉ હતો, જેને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. બે દિવસની સારવાર દરમિયાન આ યુવકનું મોત થયું હતું.
આદિવાસી યુવકનું મોત થતા પરિવારજનો અને સંબંધીઓ રોષે ભરાયા હતા. 200 લોકોનું ટોળું યુવકના મૃતદેહને લઇ અકસ્માત સર્જનાર કાર માલિક વિનુભાઇ રબારીના ઘરે વિજયનગરના ભૂપતગઢ ખાતે પહોંચ્યું હતું. આ ટોળાએ પહેલા કાર માલિકના ઘરે ઢોર માટેનું ઘાસ સળગાવી દીધું હતું અને બાદમાં યુવકના મૃતદેહને ત્યાં રાખી આ 200 લોકોનું ટોળું ફરાર થઇ ગયું હતું. ઘટનાની જાણ થતા વિજયનગર અને ઇડર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.