સુરત સોલંકી પરિવારના આપઘાત મુદ્દે એક મોટો ખુલાસો સામે આવ્યો છે. એક સાથે સાત સભ્યોના આપઘાત મામલે અનેક તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે ત્યાં અત્યારે આ વાત એ ચર્ચા પકડી છે કે, આ સામુહિક આપઘાત પાછળ તાંત્રિક વિધિનીશંકા પણ વ્યક્ત થઈ રહી છે.
કારણ કે મૃતક મનીષ સોલંકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રિલ્સ સેક્શનમાં છેલ્લી પોસ્ટ મહામૃત્યુંજય મંત્રના સ્ક્રીનશોટની છે. આ ઉપરાંત અપલોડ કરાયેલા વીડિયોમાં એક જટાધારી સાધુના આશીર્વાદ તેઓ લઈ રહ્યા હોવાનું પણ એક વિડિયો અપલોડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અલગ અલગ સાધુ સંતો કે બ્રાહ્મણોના મંત્ર જાપ કરતી પોસ્ટ પણ અપલોડ કરવામાં આવી રહી છે. ત્યારે હાલ તો આ સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર દ્વારા સુરત ક્રાઈમ બ્રાન્ચ સહિતની તમામ તપાસ એજન્સીઓને આ મામલે તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે એજન્સીઓની તપાસમાં જ વધુ ખુલાસાઓ થઈ શકે છે.