દેશભરમાં સાયબર ગઠિયાઓ દ્વારા છેલ્લા ઘણા વખતથી ટેલીગ્રામ સહિતના સોશિયલ મીડીયાના માધ્યમથી જુદા જુદા ટાસ્ક પૂર્ણ કરવાની કે બેંકના નામે લિંક મોકલી આપી કરોડોની ઠગાઈ આચરવાના નેટવર્કનો ગાંધીનગર એલસીબીએ પર્દાફાશ કર્યો છે. આ સમગ્ર કૌભાંડ આચરવામાં આરોપીઓની મોડસ ઓપરેન્ડી જાણી પોલીસ પણ ચોંકી ઉઠી છે.
સાયબર ગઠિયાઓ કરોડો રૂપિયાની ઠગાઈ કરવા માટે સામાન્ય લોકોના બેંક ખાતા કમિશન પર રાખ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ફ્રોડની રકમ ટ્રાન્સફર કર્યા બાદ ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી મુંબઈ મોકલી દેવાતી હોવાનો ખુલાસો થયો છે. પોલીસને પ્રાથમિક તપાસમાં કમિશન પર રાખવામાં આવેલા 200 બેંક ખાતાની વિગતો મળી છે. પોલીસના મતે આ ખાતાઓની સંખ્યા લાખોમાં હોય શકે છે.