Friday, October 17, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

યમનમાં ભારતીય નર્સને અપાશે ફાંસીની સજા

નિમિષા 2017થી યમનની જેલમાં છે, યમનના નાગરિકની હત્યા માટે દોષી ઠેરવવામાં આવી હતી

dharmendravaghela by dharmendravaghela
2023-11-18 11:22:06
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

થોડા દિવસ પહેલા કતારમાં આઠ ભારતીયને ફાંસીની સજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મામલા વચ્ચે યમનમાં એક ભારતીય મૂળની એક નર્સને ફાંસીની સજા ફટકારવાની બાબત ચર્ચાનો વિષય બની છે.
યમનની કોર્ટે ભારતીય મહિલા નિમિષાને હત્યાના આરોપમાં દોષી ઠરાવતા તેને ફાંસીની સજા આપી હતી. દીકરીને ફાંસીની સજા માફ કરવા આરોપી નર્સની માતાએ આ મામલે દિલ્હી હાઈ કોર્ટમાં અરજી કરી હતી, તેને યમન જવા દેવાની વિનંતી કરી હતી. આ મામલે હાઈ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્ણય લેવા અંગે એક અઠવાડિયાનો સમય આપ્યો છે.
દિલ્હી હાઈ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને નિમિષા પ્રિયાની માતાની વિનંતી પર નિર્ણય લેવાનો આદેશ આપ્યો હતો. નિમિષાની માતા પોતાની દીકરીને બચાવવા યમન જવા માંગે છે, જેથી તે યમન જઈને પીડિતાના પરિવારને નિમિષાને માફ કરવાની અપીલ કરી તેમને ‘બ્લડ મની’ એટલે કે વળતર આપવા અંગે ચર્ચા કરી શકે. 13મી નવેમ્બરે યમનની સુપ્રીમ કોર્ટે મોતની સજા વિરુદ્ધ નિમિષાની અરજી ફગાવી દીધી હતી.
નિમિષા 2017થી યમનની જેલમાં છે. નિમિષાને યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યા માટે દોષી ઠેરવવામાં આવી હતી. નિમિષાએ મહદી પાસે જમા કરાવેલો તેનો પાસપોર્ટ પાછો મેળવવા મહદીને બેભાન કરવા ઈન્જેક્શન આપ્યા હતા, પરંતુ આ ઈન્જેક્શનને કારણે મહદીનું મૃત્યુ થયું હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો, જેમાં તેને દોષી ઠરાવવામાં આવી હતી.
કેરળના પલક્કડની નાગરિક નર્સ નિમિષા છેલ્લા એક દાયકાથી તેના પતિ અને પુત્રી સાથે યમનમાં કામ કરતી હતી. 2016માં યુદ્ધને કારણે તે ભારત પછી ફરી શકી નહોતી અને ત્યાર બાદ 2017માં તેના પર મહદીની હત્યાનો આરોપ લગાવ્યો હતો અને તેને દોષી ઠરાવી હતી. દિલ્હી હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં નિમિષાની માતાએ દાવો કર્યો છે કે તેની દીકરીનું શારીરિક અને આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું હતું. તેનો પાસપોર્ટ પણ બળજબરીથી લઈ લેવામાં આવ્યો હતો.

Tags: announcefansinurce nimisha priyayamen
Previous Post

“મેં મારો વીડિયો જોયો જેમાં હું ગરબા કરી રહ્યો છું, મેં આજ સુધી ક્યારેય ગરબા કર્યા જ નથી” – મોદી

Next Post

પંજાબમાં ફરજ પર જતા એએસઆઈની હત્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

ભારત અમને ઓઈલના પૈસા ચાઈનીઝ કરન્સીમાં ચૂકવે છે: રશિયાના Dy. PM એલેકઝેન્ડર નોવાક
આંતરરાષ્ટ્રીય

ભારત અમને ઓઈલના પૈસા ચાઈનીઝ કરન્સીમાં ચૂકવે છે: રશિયાના Dy. PM એલેકઝેન્ડર નોવાક

October 16, 2025
માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 બંધ કર્યું,
આંતરરાષ્ટ્રીય

માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 બંધ કર્યું,

October 16, 2025
આપઘાત કરનારા IPS પૂરણ સામે લાંચ, ખંડણી અને મહિલા અધિકારીઓ ઉપર જાતીય સતામણીનો  ASIનો આક્ષેપ
તાજા સમાચાર

આપઘાત કરનારા IPS પૂરણ સામે લાંચ, ખંડણી અને મહિલા અધિકારીઓ ઉપર જાતીય સતામણીનો ASIનો આક્ષેપ

October 16, 2025
Next Post
પંજાબમાં ફરજ પર જતા એએસઆઈની હત્યા

પંજાબમાં ફરજ પર જતા એએસઆઈની હત્યા

કુલગામમાં એન્કાઉન્ટરમાં પાંચ આંતકવાદી ઠાર

કુલગામમાં એન્કાઉન્ટરમાં પાંચ આંતકવાદી ઠાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.