Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સોમવારે કાર્તિકી પૂનમ : પાલિતાણામાં શેત્રુંજય તિર્થ યાત્રાનો થશે પુનઃ પ્રારંભ

સાડાચાર માસના ચાતુર્માસની પૂર્ણાહુતિ સાથે ફરીથી શેત્રુંજય ડુંગર પર યાત્રીકોનો ધમધમાટ જાવા મળશે, પાલિતાણાના વેપાર-ધંધા ઉદ્યોગમાં આવશે ચળકાટ

dharmendravaghela by dharmendravaghela
2023-11-25 14:13:34
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સાડા ચાર માસના ચાતુર્માસની પૂર્ણાહુતિ સાથે પાલિતાણા શેત્રુંજય તિર્થની યાત્રાનો સોમવારથી પુનઃ પ્રારંભ થશે. સોમવારે કાર્તિકી પૂનમના પ્રસંગે મોટી સંખ્યામાં જૈન યાત્રીઓ ઉમટી પડી પ્રથમ દિવસે શેત્રુંજય મહાતિર્થની મહિમાવંતી યાત્રાનો લ્હાવો લેશે. શેત્રુંજય તિર્થની યાત્રાના પુનઃ પ્રારંભ સાથે પાલિતાણામાં ફરીથી યાત્રીકોનો અવરો-જવરો વધશે. આ સાથે સ્થાનિક વેપાર-ધંધા ઉદ્યોગમાં પણ ચળકાટ જાવા મળશે. રવિવારે ચોમાસી ચૌદશના પર્વે જૈન શ્વેતામ્બર મૂતપૂજક સમાજનાં ચાતુર્માસની પૂર્ણાહુતિ થશે. આગામી તા.૨૭ નવેમ્બરને સોમવારે જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસ પરિવર્તન થઇ શકશે. એટલે કે, ચાર મહિના સુધી એક સ્થળે Âસ્થરતા કરી ચોમાસી ચૌદશ બાદ તેઓના વિહાર શરૂ થશે.
અષાઢ સુદ ચૌદશથી પ્રારંભ થયેલા જૈન ચાતુર્માસની પૂર્ણાહુતિ આવતીકાલે રવિવારે કારતક સુદ ચૌદશના સામૂહિક દેવવંદન અને ચૌમાસી ચૌદશના વિશેષ પ્રતિક્રમણ સાથે થશે. કાર્તિકી પૂર્ણિમાની સવારથી જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોના વિહારનો પ્રારંભ થશે. જેને જૈન ધર્મ અનુસાર ચાતુર્માસ પરિવર્તન કહેવાય છે. આગામી તા.૨૭ને સોમવારે કારતક સુદ પૂનમનો દિવસ જૈન સમાજ માટે મહ¥વનો બની રહેશે.કેમ કે, ચાતુર્માસ દરમિયાન બંધ રહેલી શેત્રુંજય તીર્થની યાત્રાનો કાર્તિકી પૂનમથી પ્રારંભ થશે. એક સ્થાને બિરાજમાન સાધુ-સાધ્વીજી ભગવંતોના વિહારનો પ્રારંભ થશે અને કલિકાલસર્વજ્ઞા જૈનાચાર્ય હેમચંદ્રાચાર્યજીનો જન્મ દિવસ.આ રીતે એક સાથે ત્રણ પ્રસંગો સર્જાશે. ચાતુર્માસ દરમિયાન વરસાદ આદિને કારણે શત્રુંજય પર્વત ઉપર સૂક્ષ્મ જીવોની હિંસા ન થાય તે માટે તીર્થયાત્રા બંધ રહે છે. જેનો પ્રારંભ પૂનમથી શરૂ થશે. જે શ્રાવક-શ્રાવિકાઓ પૂનમનાં દિવસે પાલિતાણા ન જઈ શકે તેઓ પોત-પોતાના જૈન સંઘમાં શત્રુંજય તીર્થનો પટ બાંધી તેની સમક્ષ ભાવથી તીર્થયાત્રા કરશે.જેને તીર્થની ભાવયાત્રા પણ કહેવાય છે. આ દિવસે શાશ્વત તીર્થ એવા શત્રુંજય તીર્થનું મહિમા ગાન પણ થશે. કાર્તિકી પૂર્ણિમાની યાત્રામાં માત્ર ગુજરાત જ નહીં,દેશભરમાંથી વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે.
પાલિતાણામાં આવેલી ૧૨૫ ધર્મશાળાઓ યાત્રીકોની અવર-જવરથી ધમધમી રહેલ છે. કાર્તિકી પૂનમથી ગુરૂ ભગવંતોની નિશ્રામાં ૯૯ યાત્રાની શરૂઆત થશે અને છરિપાલિત સંઘનો પ્રારંભ થશે. જય તળેટી પાસે આવેલ ભાતાઘરમાં યાÂત્રકોને ભાતું આપવાની શરૂઆત થશે. હાલ ચાતુર્માસ પુર્ણ થતા ૧ ગચ્છાધિપતિ, ૨૩ આચાર્ય ભગવંત, ૪ પન્યાસ, ૪ ગણિવર્ય, ૨ પ્રવર્તક, ૧૫૮ મુનિ ભગવંતો, ૯૪૯ સાધ્વીજી ભગવંતો મળી કુલ ૧૧૪૧ સવંત ૨૦૭૯ ના કાર્તિકી પૂનમના પર્વે ઠાણા-ઉઠાણા કરશે અને તેઓ જય તળેટી અને સિધ્ધાચલની યાત્રા કરશે.

 

Tags: jainkartiki poonampalitana
Previous Post

બાળક કુવામાં પડવાની એ ઘટના ‘રાજાઇ હોલ’માં જ બની હતી છતાં ટ્રસ્ટીઓએ જુઠાણુ ચલાવ્યું ?!

Next Post

મહુવામાં ઈંગ્લીશ દારૂ અને બિયરના જથ્થા સાથે મહિલા સહિત બે ઝડપાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
હોમગાર્ડ જવાનને જોઈને શખ્સ ઈંગ્લીશ દારૂના પોટકા મૂકી ફરાર

મહુવામાં ઈંગ્લીશ દારૂ અને બિયરના જથ્થા સાથે મહિલા સહિત બે ઝડપાયા

ક્રિકેટર મોહમ્મદ શમી રાજકારણમાં કરશે એન્ટ્રી?

ક્રિકેટર મોહમ્મદ શમી રાજકારણમાં કરશે એન્ટ્રી?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.