સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઈઝરાયલને લઈને એક ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે ઈઝરાયલે સીરિયાની ગોલાન હાઈટ્સ પરથી પોતાનો કબજો પાછો ખેંચી લેવો જોઈએ.
ભારતે ઈઝરાયેલ વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. આ પ્રસ્તાવમાં ઇઝરાયલને ગોલાન હાઇટ્સ વિસ્તારમાંથી હટી જવાની માંગ કરવામાં આવી છે. ગોલાન હાઇટ્સ એ સીરિયાનો એક વિસ્તાર છે જે 5 જૂન, 1967 ના રોજ ઇઝરાયલી દળો દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. આ મુદ્દે ભારત પેલેસ્ટાઈનની સાથે એ 91 દેશોની યાદીમાં છે જેણે આ ઠરાવની તરફેણમાં વોટ આપ્યો છે.
એક અહેવાલ મુજબ, ઠરાવ જણાવે છે કે ઇઝરાયલ સુરક્ષા પરિષદના ઠરાવનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યું છે. તદનુસાર, યુએનજીએએ તેની માંગને પુનરાવર્તિત કરી છે કે સુરક્ષા પરિષદના ઠરાવોના પાલનમાં, ઇઝરાયેલે 4 જૂન, 1967ની સરહદનું પાલન કરવું જોઈએ અને સીરિયન ગોલાન હાઇટ્સમાંથી પીછેહઠ કરવી જોઈએ. ઠરાવ ચિંતા વ્યક્ત કરે છે કે, સુરક્ષા પરિષદ અને જનરલ એસેમ્બલીના ઠરાવોની વિરુદ્ધ, ઇઝરાયલ 1967 થી સીરિયન ગોલાનથી પીછેહઠ કરતું નથી.