નડિયાદ તાલુકાના બિલોદરા ગામે ભેદી રહસ્યમય ત્રણનાં મોત અને મહુધા તાલુકાના બગડુ ગામે બે એમ કુલ પાંચ વ્યક્તિના જીવ ગયા છે. આ મોતનાં કારણ જાણવા પોલીસ અને આરોગ્ય વિભાગ ઊંડી ઊતરી તપાસ કરી રહ્યાં છે. ઘટનાના ત્રીજા દિવસે ગામની સીમમાંથી શંકાસ્પદ આયુર્વેદિક ખાલી બોટલોનો બિન વારસી જથ્થો મળી પણ મળી આવ્યો છે.
એક જ ગામના ત્રણ લોકોના જીવ ગયા છે જેથી ગામમાં મોતનો માતમ છવાયો છે. ત્રણ પરિવારના 6 સંતાનોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઉપરાંત ગામમાં મરણ જનાર નટુભાઈ સોઢા કે જેઓને સંતાનમાં એક નાની દીકરી છે અને બીજા અર્જુનભાઈ સોઢા કે જેવો ત્રણ સંતાનોના પિતા છે આમ એક જ ગામમાંથી ત્રણ પરિવારમાંથી છ સંતાનો એ પિતાની છત્રછાયા ગુમાવી છે.
અન્ય પરિવારમાં એકનો એક પુત્ર ગુમાવનાર મંગળભાઈ છોટાભાઈ સોઢાએ જણાવ્યું કે, મારા પરિવારમાં મારો એકનો એક દીકરો અર્જુન કે જેના પર સંપૂર્ણ ઘર નિર્ભર હતું. મારો દિકરો અર્જુન તે પરણીત છે અને તેમને ત્રણ સંતાનો છે. જેમાંથી આ ત્રણેય સંતાનો કિશોર અવસ્થામાં છે. મારો દીકરો પોતે ગામના બસ સ્ટેન્ડ પાસે ભજીયાની દુકાન ચલાવતો હતો. અને મને પણ બીપી હોય હું ચાલી શકતો ન હોય, અસ્વસ્થ હોય મારા દીકરા ઉપર જ સંપૂર્ણ ઘરનો મદાર રહેતો હતો.