ઘટના પછી કુખ્યાત ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ગ્રુપના સભ્ય રોહિત ગોદારાએ હત્યાની જવાબદારી લીધી છે. રોહિત ગોદારાએ ફેસબુક પર જણાવ્યુ કે તેમના ગ્રુપે રાજપૂત કરણી સેના પ્રમુખની હત્યાની જવાબદારી લીધી છે. રોહિત ગોદારાએ ફેસબુક પર લખ્યુ, ભાઇઓ, આજે સુખદેવ ગોગામેડીની હત્યા કરી નાખી છે. અમે તેની પુરી જવાબદારી લઇએ છીએ. આ હત્યા અમે કરાવી છે. હું તમને જણાવવા માંગુ છું કે તે (ગોગામેડી) અમારા દુશ્મનોની મદદ કરતો હતો, તેમણે મજબૂત કરતો હતો. જ્યા સુધી અમારા દુશ્મનોની વાત છે, તેમણે પોતાના ઘરના દરવાજા પર પોતાની અર્થી તૈયાર રાખવી જોઇએ, અમે જલ્દી તેમણે પણ મળીશું.