ગુજરાત રાજ્યના નલીયા એરફોર્સ સ્ટેશનમા ફરજ બજાવતા એક જવાને ફરજ દરમ્યાન પોતાના સર્વીસ હથિયારથી અપઘાત કર્યાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ગઈ કાલે સાંજના સમયે આ ઘટના સામે આવી હતી,જેમા પરમજીતસિંગ હરનામસિંગ નામના 39 વર્ષીય જવાને પોતાની સર્વિસ હથિયારથી માથામાં ગોળી મારી આપઘાત કર્યો છે.
બનાવની જાણ થતા નલિયા તથા કોઠારા પોલીસના અધિકારીઓ તપાસ માટે દોડી ગયા હતા જવાને સાંજે એરફોર્સ સ્ટેશન ફરજ દરમ્યાન આ પગલુ ભર્યુ હતું. મૃતક જવાન હિમાચલ પ્રદેશનો રહેવાસી છે. બનાવ સંદર્ભે નલિયા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મુશ્કેલ પરિસ્થીતમા સરહદ પર ફરજ બજાવતા જવાનોના આપઘાતના કિસ્સા અગાઉ પણ કચ્છમા બન્યા છે પરંતુ માત્ર 20 દિવસ જેટલા ટુંકા ગાળામા 3 જવાને આપધાત કરી લેતા ચિંતા ફેલાઇ છે.