નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આતંકવાદી સંગઠન ISISના ષડયંત્ર વિરુદ્ધ દેશભરમાં 41 સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા છે. મહારાષ્ટ્રમાં મોટાભાગના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે જેમાં થાણે ગ્રામીણ, થાણે શહેર, પુણે-મીરા ભાયંદરનો સમાવેશ થાય છે. સાથે કર્ણાટકમાં એક જગ્યાએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. થાણેના ગ્રામીણ વિસ્તારોમાં આ દરોડા થઈ રહ્યા છે.
દરોડા દરમિયાન NIAએ આતંકવાદીઓના આંતરરાષ્ટ્રીય જોડાણો અને વિદેશી -આધારિત ISIS હેન્ડલર્સની સંડોવણી સાથેના મોટા ષડયંત્રનો પણ પર્દાફાશ કર્યો છે. NIAની તપાસમાં ભારતમાં ISISની આતંકવાદી વિચારધારાનો પ્રચાર કરવા માટે પ્રતિબદ્ધ લોકોના જટિલ નેટવર્કનો ખુલાસો થયો છે.
આ નેટવર્કે ISIS ના સ્વ-ઘોષિત ખલીફા (નેતા) પ્રત્યે વફાદારી લીધી હતી અને નેટવર્ક ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) પણ તૈયાર કરી રહ્યું હતું. આ સંગઠનનો ઉદ્દેશ્ય તેના ઓપરેટિવ્સ દ્વારા ભારતીય ધરતી પર આતંકવાદી કૃત્યોને અંજામ આપવાનો હતો.