ભાવનગરના સુભાષાનગર, હરિરામનગર-૨ માં આવેલ બંધ મકાનમાં ચોરીની ઘટના બનતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ભાવનગરના સુભાષનગર, હરિરામનગર-૨ માં રહેતા નીરવભાઈ હસમુખભાઈ ત્રિવેદી લગ્ન પ્રસંગે બહારગામ ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરના દરવાજાનું તાળું તોડી ઘરમાં રાખેલ લોખંડના કબાટમાંથી ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
આ બનાવની જાણ થતાં નીરવભાઈ ભાવનગર પરત દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા ઘોઘારોડ પોલીસે તપાસ હાથ ધરી છે.