Saturday, December 27, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની ઘૂસણખોરી નિષ્ફળ

સુરક્ષાદળોના ફાયરિંગમાં એક ઘૂસણખોર ઢેર

dharmendravaghela by dharmendravaghela
2023-12-23 12:41:28
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જમ્મુ- કાશ્મીરના પુંછમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ અખનૂરમાં આતંકીઓની ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. આપણી સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકીઓ પર ગોળીબાર કર્યો છે. જે બાદમાં 4 આતંકીઓની શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી છે. સેનાના જણાવ્યા અનુસાર આતંકવાદીઓ મૃતદેહને પાછળ ખેંચતા જોવા મળ્યા છે.
સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુના અખનૂરમાં સર્વેલન્સ ડિવાઈસ દ્વારા 4 આતંકવાદીઓની શંકાસ્પદ ગતિવિધિઓ જોવામાં આવી હતી, જેના પછી સેનાએ જવાબી કાર્યવાહી કરી હતી. આ ઘટના શુક્રવારે મોડી રાત્રે બની હોવાનું કહેવાય છે. સેનાએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ એક લાશને આંતરરાષ્ટ્રીય સરહદ પાર ખેંચતા જોવા મળ્યા હતા.
ભારતીય સેનાની 16મી કોર્પ્સ, જેને વ્હાઇટ નાઈટ કોર્પ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમણે આ ઘટના વિશે માહિતી આપી. ભારતીય સેનાની 16મી કોર્પ્સે ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું કે, અખનૂરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કરવામાં આવ્યો છે. શુક્રવારે મોડી રાત્રે અમારા સર્વેલન્સ ડિવાઇસ દ્વારા 4 શંકાસ્પદ આતંકવાદીઓને જોવામાં આવ્યા હતા. આ પછી અમારી બાજુથી ગોળીબાર થયો હતો. આતંકવાદીઓ એક મૃતદેહને આંતરરાષ્ટ્રિય સરહદ પાર ખેંચતા જોવા મળ્યા હતા.
સેનાના જવાનોએ ચાર ઘૂસણખોરોને આંતરરાષ્ટ્રીય સરહદથી વાયર તરફ આવતા જોયા ત્યારબાદ તેઓએ તેમના પર ગોળીબાર કર્યો. આ ગોળીબારમાં એક ઘૂસણખોર પણ માર્યો ગયો હતો, જેની લાશને આતંકીઓ ખેંચી જતા જોવા મળ્યા હતા. આ ઘૂસણખોરોને પાકિસ્તાન તરફથી સંપૂર્ણ સમર્થન મળી રહ્યું હતું. તે સમયે આ ઘૂસણખોરો આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પાકિસ્તાની સેનાએ ભારતીય સૈનિકોનું ધ્યાન હટાવવા માટે તેની એક પોસ્ટને આગ લગાવી દીધી હતી. જોકે પાકિસ્તાનની આ ષડયંત્ર સફળ ન થઈ અને સૈનિકોએ તરત જ ઘૂસણખોરો પર ગોળીબાર શરૂ કરી દીધો, જેમાં એક ઘૂસણખોર માર્યો ગયો.

Tags: encounterkashmirloc
Previous Post

કર્ણાટકમાં હિજાબ પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય

Next Post

ગુજરાતમાં નવા 11 એરપોર્ટ પ્રોજેકટની પ્રક્રિયા ઝડપી

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકામાં ગેરકાયદેરીતે રહેતા ૩૦ ભારતીય નાગરિકની ધરપકડ
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ગેરકાયદેરીતે રહેતા ૩૦ ભારતીય નાગરિકની ધરપકડ

December 25, 2025
અમેરિકાથી વેટિકન અને જેરુસલેમ સુધી નાતાલની ઉજવણી
આંતરરાષ્ટ્રીય

અમેરિકાથી વેટિકન અને જેરુસલેમ સુધી નાતાલની ઉજવણી

December 25, 2025
કર્ણાટકમાં માર્ગ અકસ્માતમાં ૧૦થી વધુ લોકો જીવતા ભુંજાયા
તાજા સમાચાર

કર્ણાટકમાં માર્ગ અકસ્માતમાં ૧૦થી વધુ લોકો જીવતા ભુંજાયા

December 25, 2025
Next Post
ગુજરાતમાં નવા 11 એરપોર્ટ પ્રોજેકટની પ્રક્રિયા ઝડપી

ગુજરાતમાં નવા 11 એરપોર્ટ પ્રોજેકટની પ્રક્રિયા ઝડપી

તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર

ઘોઘારોડ કંસારાના કાઠે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા સાત ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.