માનસીબેન પ્રકાશભાઇ બોસમીઆએ કોમ્પ્યુટર સાયન્સ વિષયમાં ચરોત્તર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારુસેટ) (દ્ગછછઝ્ર ય્ટ્ઠિઙ્ઘી છ)માંથી ઁર.ડ્ઢ. થયા છે. ૧૩માં કોન્વેકેશન કાર્યક્રમમાં ભારત સરકારના કેબિનેટ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના હસ્તે તેમને આ ડીગ્રી એનાયત કરવામાં આવી. પોતાની અથાગ મહેનત અને પરિવારના સહકાર સાથે આજે તેમણે આ ખૂબ જ મુશ્કેલ મુકામ મેળવેલ છે.
માનસીબેન બાળપણથી જ ભણવામાં હોશિયાર અને એકદમ પરિણામ લક્ષી તૈયારીમાં માનનાર વ્યકતિત્વ છે. મ્. ઝ્ર.છ. અને સ્.ઝ્ર.છ. બંનેમાં ભાવનગર યુનિવર્સીટીમાં તેઓ રેન્ક લાવેલ ત્યારબાદ ઁર.ડ્ઢ. માટે ચરોત્તર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારુસેટ) (દ્ગછછઝ્ર ય્ટ્ઠિઙ્ઘી છ ) માં એપ્લાય થયા, તે દરમ્યાન તેમના લગ્ન ડા. ચિંતન હરેશભાઈ શનીશ્ચરા સાથે થયા અને તેમણે પણ ઁર.ડ્ઢ. માટે સંપૂર્ણ સાથ આપી આ ડીગ્રી મેળવવામાં સહકાર આપેલ છે.
માનસીબેનએ કોમ્પુટર સાયન્સમાં બે પુસ્તકો અને આંતરરાષ્ટÙીય કક્ષાએ ૧૦ પેપર પણ લખેલ છે, તેમના પુસ્તકો આજે ઓનલાઈન માર્કેટમાં મળે છે અને મ્. ઝ્ર.છ., સ્.ઝ્ર.છ. અને સ્.જીષ્ઠ.(ૈં્)ના વિદ્યાર્થીઓ માટે આ પુસ્તકો ખૂબ ઉપયોગી નીવડે છે. તેઓ ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળના પૂર્વ ઉપપ્રમુખ હાલ ટ્રસ્ટી અને ભાવનગરના અગ્રણી પ્રકાશભાઈ બોસમીઆના દીકરી છે.