અયોધ્યામાં આજે એટલે કે મંગળવારે બપોરે 1.15 વાગ્યાથી રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાના મહા અનુષ્ઠાનની શરૂઆત થઈ રહી છે. રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાની ભવ્ય વિધિ શરૂ થઈ રહી છે. જેમાં યજમાન માટે પ્રાયશ્ચિત્ત, સરયૂ નદીમાં દશ વિધરનાન, યજમાન બ્રાહ્મણ માટે સૌર, પૂર્વોત્તરંગ, ગોદાન, પંચ-ગવ્યપ્રાશન, દશદાન અને કર્મકુટી હોમ સહિત હોમવામાં આવશે.
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થશે. પ્રાણપ્રતિષ્ઠા માટે શુભ સમય નક્કી કરનાર પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ, રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરનાર પંડિત લક્ષ્મીકાંત દીક્ષિત અને મહામંત્રી રામાનંદ સંપ્રદાયના શ્રીમથ ટ્રસ્ટના સ્વામી રામવિનય દાસે દાવો કર્યો છે કે પીએમ મોદી મુખ્ય યજમાન નથી.
આ ત્રણેયે જણાવ્યું હતું કે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રા અને તેમનાં પત્ની મુખ્ય યજમાન રહેશે. બંને સંકલ્પ, પ્રાયશ્ચિત્ત અને ગણેશજીની પૂજા કરીને 7 દિવસની વિધિનું આયોજન કરશે. પ્રાણપ્રતિષ્ઠામાં પણ હાજર રહેશે. તેમના મતે માત્ર ગૃહસ્થ વ્યક્તિ જ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા વિધિના મુખ્ય યજમાન બની શકે છે. જેના કારણે આવો નિર્ણય લેવામાં આવ્યો છે. પીએમ મોદીને પ્રતિકાત્મક યજમાન ગણી શકાય.
પ્રાણપ્રતિષ્ઠા કરનારા બ્રાહ્મણો અને મુહૂર્તકારોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મંદિર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ, સંઘના વડા મોહન ભાગવત અને મિશ્ર દંપતી મુખ્ય આયોજનના સમયે 22 જાન્યુઆરીએ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન મોદી ગર્ભગૃહમાં પોતાના હાથથી કુશા અને દોરડું ખેંચશે. ત્યાર બાદ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે.
તે પહેલાં 16 થી 21 જાન્યુઆરી સુધી 6 દિવસીય પૂજામાં ડો.મિશ્રા દંપતી મુખ્ય ભૂમિકા ભજવશે. તેઓ PM મોદીના પ્રતિનિધિ તરીકે 60 કલાક શાસ્ત્રીય મંત્રોચ્ચાર સાંભળશે, જ્યારે PM મોદી 7માં દિવસે હાજરી આપશે. તે દિવસે તેઓ ભોગ અર્પણ કરશે અને આરતી પણ કરશે.