Wednesday, August 20, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કાશ્મીરથી લઈ કેરળમાં શાનદાર ઉજવણી

શાનદાર લેઝર શોથી રામ મંદિર ઝળહળી ઊઠ્યું

dharmendravaghela by dharmendravaghela
2024-01-23 14:11:08
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી દેશ આખાએ દિવાળીના માફક ઉજવણી કરી હતી. રામનગરી અયોધ્યામાં જ નહીં, પરંતુ કાશ્મીરથી કન્યાકુમારી અને પશ્ચિમથી લઈને પૂર્વમાં દેશ આખો રામમય બન્યો હતો. અયોધ્યા, ઉજ્જૈન (અવતિંકાનગરી), કાશ્મીર, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત સહિત અન્ય રાજ્યના મહાનગરોમાં લોકોએ જોરદાર સેલિબ્રેશન કર્યું હતું.
પ્રાણ પ્રતિષ્ઠા પછી અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં ભગવાન રામના ચિત્રણ કરનારા ભવ્ય લેઝર અને લાઈટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગબેરંગી લાઈટિંગથી ફક્ત રામ લલ્લાનું મંદિર જ નહીં, સમગ્ર પરિસરમાં ભવ્ય આભા જોવા મળી હતી.અયોધ્યા સિવાય કેરળમાં થિરુવનંતપુરમના પદ્યનાભસ્વામી મંદિરને શાનદાર લાઈટિંગ-દીવાથી સજાવવામાં આવ્યું હતું, જ્યારે કાશ્મીરનું રઘુનાથ મંદિર હોય કે પછી કાશ્મીર ખીણમાં શંકારાચાર્ય મંદિર, સૂર્ય મંદિરને શાનદાર સજાવવામાં આવ્યું હતું. કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશના મંદિરોમાં પણ ફટાકડાં ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.
આસામના કામાખ્યા મંદિરમાં રામજ્યોતિ પ્રગટાવવામાં આવી હતી. આસામના મુખ્ય પ્રધાન હિમંત બિશ્વાએ લખ્યું હતું રામમય નીલાંચલ, ભગવાન રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન અવસરે માં કામાખ્યા મંદિર રામજ્યોતિથી જગમગી ઊઠ્યું છે. દરમિયાન બાબા મહાકાલની નગરી અવતિંકાનગરીમાં પણ રામજ્યોતિથી દીપી ઊઠ્યું હતું. ઉજ્જૈન, હરદ્રાર, દહેરાદૂન સહિત સમગ્ર ઉત્તરાખંડમાં શિવભક્તોએ રામજીના મહોત્સવની ઉજવણી કરી હતી.
દરમિયાન મહારાષ્ટ્રમાં દરેક મોટા પક્ષોએ રામ મંદિર મહોત્સવની ઉજવણી કરી હતી, જ્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પોતાના હોમસિટી થાણેના રામમંદિરમાં ઉજવણી કરી હતી. પ્રતિષ્ઠા પૂરી થયા પછી મુંબઈ, પુણે, નાશિકમાં લોકોએ શાનદાર સરઘસ, રેલીઓ કાઢી હતી. મુંબઈની પ્રતિષ્ઠિત ઈમારતોને પણ લાઈટિંગથી સજાવવામાં આવી હતી.

Tags: ayodhyalaser showram mandir
Previous Post

પાદરાના ભોજ ગામે રામની શોભાયાત્રામાં પથ્થરમારો

Next Post

શિકાગો પાસે 7 લોકોની ગોળી મારી હત્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

જાફરાબાદ દરિયો ગાંડોતૂર : 3 બોટ દરિયામાં ડૂબી, ૧૬ ખલાસીઓનો બચાવ
તાજા સમાચાર

જાફરાબાદ દરિયો ગાંડોતૂર : 3 બોટ દરિયામાં ડૂબી, ૧૬ ખલાસીઓનો બચાવ

August 20, 2025
રશિયા પર દબાણ લાવવા ટ્રમ્પે ભારત પર વધુ ટેરિફ લગાવ્યા: કેરોલિન લેવિટ
આંતરરાષ્ટ્રીય

રશિયા પર દબાણ લાવવા ટ્રમ્પે ભારત પર વધુ ટેરિફ લગાવ્યા: કેરોલિન લેવિટ

August 20, 2025
દિલ્હીમાં મુખ્યમંત્રી પર લોક દરબારમાં હુમલો
તાજા સમાચાર

દિલ્હીમાં મુખ્યમંત્રી પર લોક દરબારમાં હુમલો

August 20, 2025
Next Post
શિકાગો પાસે 7 લોકોની ગોળી મારી હત્યા

શિકાગો પાસે 7 લોકોની ગોળી મારી હત્યા

ફૂલોથી સજેલી અયોધ્યાનગરી પાછળ છે વડોદરાવાસીઓની મહેનત

ફૂલોથી સજેલી અયોધ્યાનગરી પાછળ છે વડોદરાવાસીઓની મહેનત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.