અયોધ્યાના રામમંદિરમાં બાલક રામ, એટલે કે રામલલ્લાને બિરાજમાન કરવામાં આવ્યા છે. આ દરમિયાન રામમંદિર માટે બનેલી બીજી અને ત્રીજી મૂર્તિઓ પણ સામે આવી છે. બીજી મૂર્તિ સફેદ મકરાણા આરસની છે, જ્યારે ત્રીજી મૂર્તિ પણ રામલલ્લાની પ્રતિમાના રંગની એટલે કે શ્યામ રંગની છે. ત્રણેયની ઊંચાઈ 51-51 ઈંચ છે.
ત્રણેય મૂર્તિમાં ભગવાનને કમળના આસનમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. ત્રણેયમાં ભગવાનનું 5 વર્ષનું બાળસ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. રામલલ્લા ઉપરાંત ભગવાન રામની બંને મૂર્તિ રામમંદિરના અલગ-અલગ માળ પર સ્થાપિત કરવામાં આવશે. ટ્રસ્ટે મંદિર માટે ભગવાન રામની 3 મૂર્તિ તૈયાર કરી હતી. એ વિવિધ કારીગરો દ્વારા વિવિધ પથ્થરોમાંથી બનાવવામાં આવી હતી. અંતે, ટ્રસ્ટના સભ્યની સંમતિથી કર્ણાટકના શિલ્પકાર યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામલલ્લાની પ્રતિમાને ગર્ભગૃહ માટે પસંદ કરવામાં આવી હતી. જ્યારે બીજી પ્રતિમા દક્ષિણના શિલ્પકાર ગણેશ ભટ્ટે અને ત્રીજી પ્રતિમા રાજસ્થાનના શિલ્પકાર સત્યનારાયણ પાંડેએ બનાવી છે. સત્યનારાયણ પાંડે દ્વારા બનાવવામાં આવેલી પ્રતિમા આરસની બનેલી છે.