Tuesday, October 14, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જ્ઞાનવાપી મસ્જિદના સર્વે રિપોર્ટમાં શિવલિંગ અને તૂટેલી મૂર્તિઓનો ઉલ્લેખ

અહેવાલમાં હનુમાન, ગણેશ અને નંદી જેવા હિંદુ દેવી-દેવતાઓની તૂટેલી મૂર્તિઓ દર્શાવતા કેટલાક ફોટોગ્રાફ્સનો સમાવેશ

dharmendravaghela by dharmendravaghela
2024-01-27 11:36:05
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયા (ASI)ના સર્વે રિપોર્ટમાં મસ્જિદ સંકુલની અંદર હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ અને અન્ય મૂર્તિઓના ટુકડાઓ દર્શાવવામાં આવ્યા છે.
ASIના સર્વેક્ષણ અહેવાલમાં હનુમાન, ગણેશ અને નંદી જેવા હિંદુ દેવી-દેવતાઓની તૂટેલી મૂર્તિઓ દર્શાવતા કેટલાક ફોટોગ્રાફ્સનો સમાવેશ થાય છે. ફોટોગ્રાફ્સમાં કેટલાક શિવલિંગનો આધાર તેમજ એક શિવલિંગ પણ જોવા મળે છે, તેના નીચલા ભાગ અથવા પાયાનો ભાગ ખંડિત છે.
ASIના સર્વે રિપોર્ટમાં અન્ય વસ્તુઓ પણ દર્શાવાઈ છે જેમ કે સિક્કાઓ, પર્શિયનમાં કોતરવામાં આવેલ રેતીના પત્થરનો સ્લેબ, જર્જરિત અવસ્થાઓમાં રહેલી વિવિધ મૂર્તિઓ. હિંદુ પક્ષે દાવો કર્યો છે કે 839 પાનાના ફોટોગ્રાફ્સ અને અહેવાલો આના મજબૂત પુરાવા છે. જ્ઞાનવાપી મસ્જિદ પહેલાથી અસ્તિત્વમાં રહેલા હિંદુ મંદિરના પર બનાવવામાં આવી હતી.
હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે રિપોર્ટમાં તૂટેલી મૂર્તિઓની સ્થિતિ અને માપની વિગતો છે, જે તેમના દાવાને મજબૂત બનાવે છે. તેમણે વધુમાં કહ્યું કે મસ્જિદના નિર્માણમાં હિન્દુ દેવી-દેવતાઓનું તૂટેલી મૂર્તિઓ અને જૂના મંદિરના સ્તંભોના અવશેષો સામેલ કરવામાં આવ્યા હતા. વિષ્ણુ શંકર જૈનના દાવાઓ અહેવાલમાં ચોક્કસ વિગતો તરફ નિર્દેશ કરે છે, જેમાં પથ્થરના સ્લેબ પર ફારસી ભાષામાં શિલાલેખનો સમાવેશ થાય છે જે 17મી સદીમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબના શાસન દરમિયાન મંદિરના ધ્વંસની વિગતો દર્શાવે છે.
હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈનના મતે, આ તારણો જ્ઞાનવાપી મસ્જિદના સ્થળે એક ભવ્ય હિન્દુ મંદિરનું અસ્તિત્વ હોવાનું ભારપૂર્વક સૂચવે છે. તેમણે દાવો કર્યો, “આ પુરાવા દર્શાવે છે કે જ્યારે 17મી સદીમાં ઔરંગઝેબે ભવ્ય મંદિરને તોડી પાડ્યું.” જો કે, અંજુમન અંજામિયા મસ્જિદ કમિટિનું પ્રતિનિધિત્વ કરી રહેલા અખલાક અહેમદે હિન્દુ પક્ષના દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. તેમણે અહેવાલના તારણોને માત્ર અગાઉની કોર્ટ દ્વારા આદેશિત કાર્યવાહી દરમિયાન એડવોકેટ કમિશને જે શોધ્યું હતું તેનું પુનરાવર્તન ગણાવી ફગાવી દીધું હતું.
અહેમદે કહ્યું, “ફર્ક એટલો જ છે કે આ વખતે ASI એ પોતાનું માપ લખ્યું છે. પરંતુ હિંદુ પક્ષના દાવાઓ પાયાવિહોણા છે અને તેમાં નિષ્ણાતોની ચકાસણીનો અભાવ છે.” અહેમદે બાંધકામ સામગ્રીની કેટલી જૂની છે એ નક્કી કરવામાં હિંદુ પક્ષની નિપુણતા પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને નિર્દેશ કર્યો હતો કે ASI રિપોર્ટ પોતે પત્થરો કેટલા જુના છે એ ઉલ્લેખ કરતું નથી. ASI રિપોર્ટમાં તસવીરોમાં હિંદુ દેવી-દેવતાઓના ઉલ્લેખ અંગે અહેમદે કહ્યું કે જે મૂર્તિઓ મળી છે તે અધિકૃત નથી.
ગયા વર્ષે 21 જુલાઈના રોજ પસાર કરાયેલા જિલ્લા અદાલતના આદેશ બાદ, એએસઆઈએ જ્ઞાનવાપી સંકુલનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કર્યું હતું કે કેમ તે નક્કી કરવા માટે કે મસ્જિદ હિન્દુ મંદિરના પહેલાથી અસ્તિત્વમાં રહેલા માળખા પર બનાવવામાં આવી હતી કે કેમ. ASIએ તેનો સર્વે રિપોર્ટ સીલબંધ કવરમાં 18 ડિસેમ્બરે જિલ્લા કોર્ટમાં રજૂ કર્યો હતો.

Tags: gyanvapi surwey reportindia
Previous Post

મરાઠા આંદોલન પર મહારાષ્ટ્ર સરકાર સાથે થઈ મંત્રણા

Next Post

કર્તવ્ય પથ પર ચંદ્રયાન-3ની ઝાંખી આક્રષણનું કેન્દ્ર બની

dharmendravaghela

dharmendravaghela

Related News

વડોદરાના કરજણ નજીક બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત
તાજા સમાચાર

વડોદરાના કરજણ નજીક બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત

October 13, 2025
લાલુ- રાબડી દેવી, તેજસ્વી સામે ચારસોવીસીના આરોપ ઘડાયા
તાજા સમાચાર

લાલુ- રાબડી દેવી, તેજસ્વી સામે ચારસોવીસીના આરોપ ઘડાયા

October 13, 2025
સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ
તાજા સમાચાર

સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ

October 13, 2025
Next Post
કર્તવ્ય પથ પર ચંદ્રયાન-3ની ઝાંખી આક્રષણનું કેન્દ્ર બની

કર્તવ્ય પથ પર ચંદ્રયાન-3ની ઝાંખી આક્રષણનું કેન્દ્ર બની

જેસર ખાતે ભાવનગર જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

જેસર ખાતે ભાવનગર જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.