નવસારી જિલ્લાના સૌથી મોટા પ્રવાસી મથકબનેલ દાંડીના સોલ્ટ મેમોરિયલનું 30 જાન્યુઆરી 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્રમોદીએ ઉદઘાટન કર્યું હતું. આ સમય દરમિયાન આમેમોરિયલની 18.11 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. રજાના દિવસોએ સંખ્યા વધુ હોય છે.
આ 5 વર્ષ દરમિયાન કોવિડનો પણસમય હતો અને તે દરમિયાન સંખ્યા ઘટી હતી. અહીં ગુજરાત ઉપરાંત રાજ્ય બહારના પણ પ્રવાસીઓ આવે છે અને હવે નેશનલ ટુરિસ્ટ સેન્ટર પણ બન્યું છે. શરૂઆતના સમય કરતા હાલ મેમોરિયલમાં સુવિધા વધી છે. મેમોરિયલ ઉપરાંત પ્રવાસી સુવિધા કેન્દ્ર પણ થોડા સમયથી શરૂ થયું છે. મોડી સાંજે લાઈટિંગથી આહલાદક વાતાવરણ અહીં આહલાદક વાતાવરણ સર્જાય છે.