રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર પર તેમની માંગણીઓ અંગે દબાણ વધારવા માટે ખેડૂત જૂથોએ 7મી ફેબ્રુઆરીએ ‘કિસાન મહાપંચાયત’ બોલાવી છે, અને 8મીએ રાજધાની દિલ્હીમાં સંસદ સુધી વિરોધ કૂચ કાઢવાની જાહેરાત કરી છે. નોઈડા અને ગ્રેટર નોઈડામાં ખેડૂતોના ભારે વિરોધને જોતા ગૌતમ બુદ્ધ નગર પોલીસ તંત્રે 7 અને 8 ફેબ્રુઆરીએ જિલ્લામાં કલમ 144 લાગુ કરી છે. પોલીસે ટ્રાફિક એડવાઈઝરી પણ જાહેર કરી છે.
ખેડૂતોની ટ્રેક્ટર માર્ચને કારણે નોઈડા અને ગ્રેટર નોઈડામાં કેટલાક માર્ગો પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. સાથે સાથે આ મામલે વાહન ચાલકોને ચેતવ્યા છે. નોઈડા અને ગ્રેટર નોઈડા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સંપાદિત કરવામાં આવેલી તેમની જમીનના બદલામાં વળતર અને જમીનના પ્લોટમાં વધારો કરવાની માંગ સાથે ડિસેમ્બર 2023થી ખેડૂત સંગઠનો વિરોધ કરી રહ્યા છે.
ખેડૂતોની સમસ્યાઓને નથી લેવાતી ગંભીરતાથી 144ની કલમ અંતર્ગત 5 થી વધુ લોકોના એકઠા થવા અને ધાર્મિક અને રાજકીય સહિત અન્ય કોઈપણ પ્રકારના સરઘસ પર પ્રતિબંધ રહેશે. ટ્રાફિક પોલીસે દાદરી, તિલાપાટા, સૂરજપુર, સિરસા, રામપુર-ફતેહપુર અને ગ્રેટર નોઈડાના અન્ય માર્ગો પર ડાયવર્ઝન અંગે લોકોને ચેતવણી આપી છે.