સુપ્રીમ કોર્ટે દેશમાં લગ્નની સંસ્થાઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિવાહ સંસ્થાને બચાવવી અને સંરક્ષિત કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભારતને પશ્ચિમી દેશોની રાહ પર ન જવા દેવાય. જ્યાં લગ્ન પહેલા બાળકનો જન્મ થવો સામાન્ય વાત છે. એક 44 વર્ષીય અવિવાહિત મહિલાએ સરોગેસી દ્વારા માતા બનવાની પરવાનગી માંગી છે કારણ કે તેની પરવાનગી નથી.
જસ્ટિસ બી વી નાગરત્ના અને ઓગસ્ટીન જોર્જ મસીહની પીઠે કહ્યું કે એક અવિવાહિત મહિલા બાળકને જન્મ આપી રહી છે. આ ભારતીય સમાજમાં વિવાહના નિયમમાં નથી પરંતુ અપવાદ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશોમાં વિવાહ સંસ્થા ખતરામાં તો નથી? જસ્ટિસ બી વી નાગરત્નાએ કહ્યું, “અહીં લગ્ન બાદ માતા બનવું એક આદર્શ છે. વિવાહ વગર માતા બનવું કોઈ આદર્શ નથી. અમે તેને લઈને ચિંતિત છીએ. અમે બાળકોના હેતને જોતા આ વાત કરી રહ્યા છીએ. શું દેશમાં લગ્ન જેવું કંઈ રહેવું જોઈએ કે નહીં? અમે પશ્ચિમી દેશોની જેમ નથી. લગ્નમાં વિશ્વાસ રહેવો જોઈએ. તમે અમને રૂઢિવાદી કહી શકો છો અને અમે તેને સ્વીકાર કરીએ છીએ.”
અરજી કરનાર એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે. તેમણે પોતાના વકીલ શ્યામલ કુમારના માળ્યમથી સરોગેસી અધિનિયમની કલમ 2(એસ)ને પડકાર આપતા કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. આ કલમ એક એવિવાહિત ભારતીય મહિલાના માટે છે જે વિધવા કે ડિવોર્સી છે. તેની ઉંમર 35થી 45 વર્ષ હોવી જોઈએ અને સરોગેસીનો લાભ ઉઠાવી શકે છે. તેનો મતલબ એ છે કે એકલી અપરણિત મહિલાઓને સરોગેસી દ્વારા માતા બનવાની પરવાનગી નથી.