Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શ્રીનગરમાં ફરી ટાર્ગેટ કિલિંગ : બે પ્રવાસીઓ પર ગોળીબાર

પંજાબના અમૃતપાલનું ઘટનાસ્થળે જ મોત

dharmendravaghela by dharmendravaghela
2024-02-08 11:30:29
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ ફરી ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો હતો. શ્રીનગરમાં આતંકીઓએ કરેલા ગોળીબારમાં બે લોકોને ગોળી વાગી હતી. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘાયલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે મૃતક પંજાબના અમૃતસરનો રહેવાસી હતો. પોલીસના જણાવ્યા અનુસાર બુધવારે આતંકવાદીઓએ બે પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. કાશ્મીર પોલીસે જણાવ્યું કે હુમલામાં મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ પંજાબના અમૃતસરના રહેવાસી અમૃતપાલ સિંહ તરીકે થઈ છે. શ્રીનગરના શલ્લા કદલ વિસ્તારમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આતંકી હુમલા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. આસપાસના વિસ્તારોમાં પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ અમૃતપાલ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. પાર્ટીએ પોતાના નિવેદનમાં કહ્યું કે આપણા સમાજમાં હિંસાને કોઈ સ્થાન ન હોવું જોઈએ. તેમણે કહ્યું કે આ પ્રકારના બર્બરતાના કૃત્યો માત્ર પ્રગતિ અને શાંતિને અવરોધે છે જેના માટે આપણે પ્રયત્નશીલ છીએ. જમ્મુ-કાશ્મીરની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પાર્ટીએ કહ્યું કે શ્રીનગરના કારફારી વિસ્તારમાં કાયરતાપૂર્ણ હુમલો નિંદનીય છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો. વ્યવસાયે સુથાર અમૃતપાલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને રોહિત હોસ્પિટલમાં જીવન સામે ઝઝૂમી રહ્યો હતો.

Tags: kashmirShrinagarTarget killing
Previous Post

ધો. 6થી 12ના વિદ્યાર્થીઓ માટે ભગવદગીતાના સમાવિષ્ટ મૂલ્યોનું શિક્ષણ ફરજિયાત

Next Post

લોન મોંઘી નહીં થાય, EMI પણ નહીં વધે: રેપો રેટ 6.5% યથાવત

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
રેપો રેટ 6.5% યથાવત્ : મોંઘવારીના દરમાં ઘટાડો

લોન મોંઘી નહીં થાય, EMI પણ નહીં વધે: રેપો રેટ 6.5% યથાવત

ભાવનગર નાગરિક સહકારી બેંક દ્વારા રક્તદાન અને સન્માન કાર્યક્રમ યોજાયો

ભાવનગર નાગરિક સહકારી બેંક દ્વારા રક્તદાન અને સન્માન કાર્યક્રમ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.