ખેડૂતો આજે દિલ્હી તરફ કૂચ કરશે. સોમવારે રાત્રે ચંદીગઢમાં સાડા પાંચ કલાક સુધી ચાલેલી બેઠકમાં ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે MSP ગેરંટી કાયદો અને લોન માફી પર કોઈ સંમતિ સધાઈ ન હતી. જે બાદ કિસાન મજુર મોરચાના કન્વીનર સરવણ સિંહ પંઢેરે જાહેરાત કરી કે ખેડૂતો આજે દિલ્હી કૂચ કરશે. તેમણે ખેડૂતોને પંજાબ-હરિયાણાની શંભુ, ખનૌરી અને ડબવાલી બોર્ડર પર ભેગા થવા કહ્યું છે. તેમણે કહ્યું કે દરેક મુદ્દા પર ચર્ચા થઈ. ખેડૂતોની માંગણીઓ પર સરકાર ગંભીર નથી. ખેડૂતો સંઘર્ષ નથી ઈચ્છતા પરંતુ સરકારના મનમાં ખોટ છે. તેઓ માત્ર સમય પસાર કરવા માંગે છે. અમને કંઈપણ આપવા માંગતા નથી. અમે તેમને MSP કાયદા અંગે જાહેરાત કરવા કહ્યું હતું. સરકારના પ્રસ્તાવ પર વિચાર કરશે પરંતુ આંદોલન પર મક્કમ છીએ.
કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે દરેક વાતનો ઉકેલ વાતચીતથી થવો જોઈએ. કેટલાક મુદ્દાઓ છે કે જેના ઉકેલ માટે રચના કરવાની જરૂર છે. અમને હજુ પણ તેની આશા છે.
રદ કરવામાં આવશે વીજળી અધિનિયમ 2020
ખેડૂત આંદોલનના પગલે કેન્દ્ર સરકાર ખેડૂત સંગઠનો સાથે બેઠક કરી કરી રહી છે. જેમાં સરકાર ખેડૂતોની કેટલીક શરતો સ્વીકારવા કેન્દ્ર સરકાર સંમત થઇ ગઈ છે, જેમાં વીજળી અધિનિયમ 2020 રદ કરવા માટે પણ સરકારે સકારાત્મકતા દાખવી છે.