રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આતંકવાદી અને ગેન્ગસ્ટર વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે. NIAની ટીમે મંગળવાર સવારે પંજાબ,હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢમાં દરોડા પાડ્યા છે. ન્યૂઝ એજન્સી અનુસાર, NIAની ટીમ આ રાજ્યમાં 30 સ્થળો પર તપાસ કરી રહી છે. પંજાબના ફરીદકોટના કોટકપુરામાં NIAની ટીમ એક બિઝનેસમેનના ઘરે તપાસ કરી રહી છે.
NIAએ જણાવ્યું કે આતંકવાદ અને ગેન્ગસ્ટર સાંઠગાંઠ સંબંધિત મામલે કેટલાક આરોપીઓને પકડવામાં આવ્યા હતા, તેમની પૂછપરછ બાદ કેટલીક મહત્ત્વની જાણકારી હાથ લાગી હતી, જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. મહત્ત્વપૂર્ણ છે કે ઘટનાસ્થળે ભારે સુરક્ષાદળ પણ તૈનાત છે.
NIAએ કહ્યું કે એજન્સીએ 6 જાન્યુઆરીએ દેશમાં આતંકવાદી-ગેન્ગસ્ટર ગઠબંધનને ધ્વસ્ત કરવા માટે મોટી કાર્યવાહી કરી છે. આ દરમિયાન ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇના સભ્યોની ચાર સંપત્તિઓ કુર્ક કરવામાં આવી હતી. NIAને જાણવા મળ્યું કે આ તમામ મિલકતો ગેરકાયદેસર રીતે હસ્તગત કરવામાં આવી હતી. તેનો ઉપયોગ આતંકવાદી ષડયંત્ર રચવા અને ગંભીર ગુના કરવા માટે થાય છે.
ઉલ્લેખનીય છે કે NIAએ આતંકવાદી અને ગેન્ગસ્ટર સાંઠગાંઠ સંબંધિત કેસમાં 27 ફેબ્રુઆરીએ દરોડા પાડ્યા હતા. NIAએ 16 ઠેકાણો પર કાર્યવાહી કરી હતી જેમાં પંજાબના 14 અને રાજસ્થાનના બે ઠેકાણા સામેલ હતા. આ સિવાય NIAએ છ લોકોની પૂછપરછ માટે અટકાયત કરી હતી.