મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં હિન્દુ પક્ષના વકીલ આશુતોષ પાંડેને પાકિસ્તાન તરફથી ધમકીભર્યો ફોન આવ્યો છે. તેઓ વૃંદાવનથી હાઈકોર્ટમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમને ફોન પર કેસમાંથી ખસી જવા માટે કહેવામાં આવ્યું હતું. જો કેસ પાછો નહીં ખેંચાય તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. તેમણે આ અંગે પોલીસને જાણ કરી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. શ્રી કૃષ્ણ જન્મસ્થળ સાથે જોડાયેલા મામલાની આજે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે.