Monday, August 18, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

EDને ધરપકડ કરતા રોકવામાં આવે – કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રીએ દિલ્હી હાઇકોર્ટમાં કરી અરજી

dharmendravaghela by dharmendravaghela
2024-03-21 11:51:23
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એક વખત દિલ્હી હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. કેજરીવાલે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી દિલ્હી લિકર નીતિ મામલે વચગાળાના રાહતની માંગ કરી છે. દિલ્હીના મુખ્યમંત્રીએ પોતાની અરજીમાં કહ્યું કે તે લિકર નીતિ કેસની તપાસમાં સહયોગ કરવા તૈયાર છે પરંતુ EDને ધરપકડ કરતા રોકવામાં આવે. મહત્ત્વપૂર્ણ છે કે EDએ આ કેસમાં કેજરીવાલને 21 માર્ચે નવમી વખત સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે.
અરવિંદ કેજરીવાલે EDના તમામ સમન્સની બંધારણીય માન્યતાને હાઈકોર્ટમાં પડકારી છે. આ મામલે બુધવાર (20 માર્ચ)ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ ધરપકડમાંથી રાહતની માંગ કરી હતી. તેના પર EDના વકીલ એસવી રાજુએ કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી તપાસ એજન્સી સમક્ષ હાજર થવાનું ટાળી રહ્યા છે અને બહાના બનાવી રહ્યા છે. સુનાવણી દરમિયાન EDએ કેજરીવાલની અરજી પર જવાબ દાખલ કરવા જણાવ્યું હતું. હવે આ મામલે આગામી સુનાવણીની તારીખ 22 એપ્રિલ નક્કી કરવામાં આવી છે.
દિલ્હી લીકર નીતિ મામલે કેજરીવાલે ED દ્વારા ધરપકડની આશંકા વ્યક્ત કરી છ. કેજરીવાલે કહ્યું કે ED સામે તે હાજર થવા તૈયાર છે. જો તપાસ એજન્સી આશ્વાસન આપે કે તેમની ધરપકડ કરવામાં નહીં આવે તો પછી હાઇકોર્ટે આદેશ આપવો પડશે કે તેમના વિરૂદ્ધ કોઇ રીતની દંડાત્મક કાર્યવાહી ના કરવામાં આવે. કેજરીવાલે કહ્યું, “તપાસ એજન્સીએ કોર્ટ સામે આશ્વાસન આપવું જોઇએ કે જો હું સમન્સનું પાલન કરૂ છું તો તે મારા વિરૂદ્ધ કોઇ દંડાત્મક કાર્યવાહી નહીં કરે.”

Tags: delhiedkejarival in high court
Previous Post

મોદીનો બે દિવસનો ભૂટાન પ્રવાસ રદ

Next Post

મહારાષ્ટ્ર અને અરુણાચલમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
કચ્છમાં 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

મહારાષ્ટ્ર અને અરુણાચલમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

એલ્વિશ યાદવ પરથી NDPS એક્ટ હટાવી લેવાયો

એલ્વિશ યાદવ પરથી NDPS એક્ટ હટાવી લેવાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.