આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લાની મુલાકાત કરી હતી. અરવલ્લી જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વામિનારાયણના ધ્યાન સંકુલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ ધ્યાન સંકુલ 300 વીઘા જમીનમાં ભવ્ય રીતે નિર્માણ કરવામાં આવશે. આ સંકુલમાં એકસાથે 50 હજાર હરિભક્તો ધ્યાનમાં બેસી શકશે. તો સ્વામિનારાયણધ્યાન સંકુલ મોડાસાના રાહીયોલમાં નિર્માણ કરાશે. તે ઉપરાંત આજરોજ યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે સ્વામિનારાયણસંપ્રદાય દ્વારા અનાદિમુક્ત વિશ્વમધામનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત મુખ્યમંત્રી પૂજાવિધિમાં જોડાયા હતા.