ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આજે પોલિસી રેટ અંગે મોનેટરી પોલિસી કમિટીના નિર્ણયની જાહેરાત કરી હતી. મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટ 6.5 ટકા યથાવત રાખ્યો છે.
RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે મેક્રો ઈકોનોમિક સ્થિતિની સમીક્ષા કર્યા બાદ MPCએ રેપો રેટને સ્થિર રાખવા માટે બહુમતીથી નિર્ણય લીધો છે. MPCના 6માંથી 5 સભ્યોએ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો હતો. RBIએ છેલ્લી સતત સાતમી વખત રેપો રેટ યથાવત રાખ્યો હતો. RBIની MPCની ત્રણ દિવસીય બેઠક 3 એપ્રિલે શરૂ થઈ હતી, આ બેઠક દરમિયાન લેવામાં આવેલા નિર્ણયોની આજે પત્રકાર પરિષદમાં જાહેરાત કરવામાં આવી હતી. રિઝર્વ બેંકના MPCએ છેલ્લે 14 મહિના પહેલા ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં ફેરફાર કર્યો હતો. તે સમયે રેપો રેટ વધારીને 6.50 ટકા કરવામાં આવ્યો હતો. એ બાદથી રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.