AAP નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરી અને દારૂ કૌભાંડ પાછળ ભાજપનો હાથ હોવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એક ષડ્યંત્ર હેઠળ ધરપકડ કરવામાં આવી છે.EDએ TDP સાંસદ મંગુટા રેડ્ડી અને તેમના પિતા રાઘવ રેડ્ડી પર દબાણ કરીને કેજરીવાલ વિરુદ્ધ નિવેદન નોંધવામાં આવ્યું છે.
સંજય સિંહે વધુમાં કહ્યું કે મંગુટા રેડ્ડી હવે વડાપ્રધાનની તસવીર લગાવીને ચૂંટણી લડી રહ્યા છે. ખરેખરમાં તેલુગુ દેશમ પાર્ટી એનડીએની સહયોગી પાર્ટી છે. સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ બુધવારે સાંજે સંજય સિંહને તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતો. તેઓ છ મહિનાથી જેલમાં હતા. તિહાર જેલમાંથી મુક્ત થયેલા આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ સંજય સિંહ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે ભાજપ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ ઘણા મોટા ખુલાસા કર્યા હતા.
સંજય સિંહે કહ્યું કે એક વ્યક્તિ છે; મગુંટા રેડ્ડી, જેણે 3 નિવેદન આપ્યાં, તેમના પુત્ર રાઘવ મગુંટાએ 7 નિવેદન આપ્યાં. 16 સપ્ટેમ્બરના રોજ, જ્યારે મગુંટા રેડ્ડીને ED દ્વારા સૌપ્રથમ પૂછવામાં આવ્યું કે શું તેઓ અરવિંદ કેજરીવાલને જાણે છે. તેમણે સત્ય કહ્યું અને જણાવ્યું કે તેઓ અરવિંદ કેજરીવાલને મળ્યા હતા, પરંતુ ચેરિટેબલ ટ્રસ્ટની જમીન મામલે. જે બાદ તેમના પુત્રની ધરપકડ કરવામાં આવી હતી અને 5 મહિના સુધી જેલમાં રાખ્યા બાદ તેમના પિતાએ પોતાનું નિવેદન બદલ્યું હતું.