રક્ષા મંત્રીએ કહ્યું કે જો કોઈ આતંકવાદી દેશની શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે તો અમે જડબાતોડ જવાબ આપીશું. જો તેઓ પાકિસ્તાનમાં છુપાયેલા હશે તો અમે પાકિસ્તાનમાં ઘૂસીને તેમને મારી નાખીશું. રક્ષા મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે કહ્યું હતું કે, દેશની શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓને સરકાર બક્ષશે નહીં અને જો તેઓ પાકિસ્તાનમાં છુપાયેલા હોય તો પણ તેમને જવાબદાર ઠેરવશે.
મંત્રીએ એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, જો આપણા પાડોશી દેશનો કોઈપણ આતંકવાદી ભારતને હેરાન કરે છે અથવા હેરાન કરવાનો પ્રયાસ કરે છે અથવા અહીં આતંકવાદી કૃત્યો કરે છે, તો અમે તેને યોગ્ય જવાબ આપીશું. જો તે પાકિસ્તાન ભાગી જશે તો અમે પાકિસ્તાનમાં ઘૂસીને તેને મારી નાખીશું. રાજનાથ સિંહની ટિપ્પણી એવા સમયે આવી છે. જ્યારે ભારતે ન્યુજ એજન્સીનાં બ્રિટિશ અખબારના અહેવાલને નકારી કાઢ્યો છે.
બ્રિટિશ અખબારના અહેવાલમાં ભારતે પાકિસ્તાનમાં ટાર્ગેટ કિલિંગ કરવાનો દાવો કર્યો છે. રિપોર્ટમાં પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIના અધિકારીઓને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે ભારતે ‘જેને તે તેના માટે દુશ્મન માને છે તેને નિશાન બનાવવાની નીતિ અમલમાં મૂકી છે. વિદેશ મંત્રાલયે ન્યુઝ એજન્સીનાંના અહેવાલમાં લગાવવામાં આવેલા આરોપોને ‘ખોટા, અને ભારત વિરોધી પ્રચાર’ ગણાવ્યા છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે અનેક પ્રસંગો પર એમ પણ કહ્યું છે કે અન્ય દેશોમાં ટાર્ગેટ કિલિંગ એ ‘ભારત સરકારની નીતિ’નો ભાગ નથી. સંરક્ષણ પ્રધાને એમ પણ કહ્યું કે નવી દિલ્હી તેના તમામ પડોશીઓ સાથે સારા સંબંધો જાળવવા માંગે છે અને ઉમેર્યું કે ભારતે ક્યારેય કોઈ દેશ પર હુમલો કર્યો નથી.