છત્તીસગઢમાં નક્સલવાદીઓના ત્રાસનો સામનો કરી રહેલા સુકમા જિલ્લામાં ગ્રામીણો 21 વર્ષથી રામ મંદિર ના દરવાજા ખોલવાની રાહ જોઈ રહ્યાં હતાં. અહીં નક્સલવાદીઓના ફરમાન બાદ મંદિરમાં પૂજા પાઠ બંધ કરી દેવામાં આવ્યાં હતાં. નક્સલવાદીઓના ફરમાન બાદ બંધ પડેલા આ મંદિરને સીઆપીએફના જવાનો દ્વારા ખોલવામાં આવ્યાં છે.
છત્તીસગઢના સુકમા જિલ્લાના નક્સલવાદીઓથી પ્રભાવિત લખાપાલ અને કેરલાપેંદા ગામમાં લગભગ પાંચ દાયકા પહેલા રામ, સીતા અને લક્ષ્મણજીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતીં. પરંતુ ધીમે-ધીમે નક્સલવાદના વધતા ત્રાસને કારણે 2003માં રામ મંદિરની પૂજા બંધ કરી દેવામાં આવી અને પછી દરવાજા સંપૂર્ણપણે બંધ રહ્યા. કહેવાય છે કે મંદિરની સ્થાપના બાદ સમગ્ર વિસ્તાર અને આખું ગામ શ્રી રામના ભક્ત બની ગયા હતા. લગભગ આખા ગામના ગ્રામજનોએ કંઠી પહેરી હતી. સૌથી મોટી વાત એ છે કે કંઠી પહેર્યા પછી ભક્ત ન તો માંસ ખાઈ શકે છે અને ન તો શરાબનું સેવન કરી શકે છે.
નક્સલવાદીઓના ફરમાન બાદ બંધ પડેલા આ મંદિરને સીઆપીએફના જવાનો દ્વારા ખોલવામાં આવ્યાં છે. અત્યારે તેના વીડિયો પણ વાયરલ થઈ રહ્યાં છે. નોંધનીય છે કે, આ મંદિર ફરી ખોલવામાં આવતા લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ મંદિરના દરવાજા ખોલવામાં આવતા લોકોમાં એક દેશ પ્રત્યે વિશ્વાસ જાગશે.
દરવાજા ખોલ્યા બાદ અધિકારીઓ અને જવાનોએ ગ્રામજનો સાથે મળીને મંદિરની સફાઈ કરાવી. આ પૂજામાં ગામના મોટા ભાગના સ્ત્રી-પુરુષોએ ભાગ લીધો હતો. પૂજા આરતી બાદ પ્રસાદનો પણ વહેચવામાં આવ્યો હતો. ગ્રામજનોએ આ કાર્ય માટે CRPF 74મી કોર્પ્સનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.