કોલકાતાના રેડ રોડ ખાતે આયોજિત ઈદની નમાઝ પર આયોજિત કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે બધાને ઈદની શુભકામના પાઠવી. તેમણે કહ્યું, ‘આ ખુશીની ઈદ છે. આ શક્તિ આપવાની ઈદ છે. એક મહિના સુધી ઉપવાસ કરીને આ ઈદની ઉજવણી કરવી એ મોટી વાત છે… અમે દેશ માટે લોહી વહેવડાવવા તૈયાર છીએ, પણ દેશ માટે અત્યાચાર સહન નહીં કરીએ. યુનિફોર્મ સિવિલ કોડ સ્વીકાર્ય નથી.
તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો કે તે મુસ્લિમ નેતાઓને વીણીવીણીને બોલાવે છે અને પૂછે છે તેઓને શું જોઈએ છે. ઈદની નમાઝને સંબોધિત કરતી વખતે, મમતા બેનર્જીએ સ્પષ્ટપણે કહ્યું કે તેઓ સમાન નાગરિક સંહિતા, એનઆરસી અને સીએએ લાગુ કરવા દેશે નહીં. પહેલીવાર મમતા બેનર્જીએ UCC પર TMCની સ્થિતિ સ્પષ્ટ કરી છે.