ઓડિશાના જાજપુર જિલ્લામાં ગઈરાત્રે અકસ્માત સર્જાયો હતો. કોલકાતા જતી બસ પુલ પરથી નીચે ખાબકી હતી. આ અકસ્માતમાં એક મહિલા સહિત પાંચ લોકોના મોત થયા હતા અને 40 ઘાયલ થયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, નેશનલ હાઈવે-16 પર બારાબતી પુલ પર રાત્રે 9 વાગ્યે આ અકસ્માત થયો હતો. બસમાં 50 મુસાફરો હતા અને બસ પુરીથી કોલકાતા જઈ રહી હતી. આ અકસ્માતમાં ચાર પુરૂષ અને એક મહિલાના મોત થયા છે. પોલીસે જણાવ્યું કે ચાલીસ લોકો ઘાયલ છે અને તેમાંથી 30ને કટક એસસીબી મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા છે. મુખ્યમંત્રી નવીન પટનાયકે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના પરિવારજનોને 3-3 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી.