બિહારના દરભંગામાં એક અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે લગ્નના વરઘોડા દરમિયાન ફટાકડાને કારણે લાગેલી આગને કારણે સિલિન્ડર ફાટ્યુ હતુ અને તેમાં એક જ પરિવારના છ લોકોના મોત થયા હતા.
મળતી માહિતી મુજબ, અચાનક સિલિન્ડર વિસ્ફોટના કારણે ડીઝલના સ્ટોકમાં આગ લાગી હતી અને એક જ પરિવારના છ લોકોના મોત થયા હતા. મૃતકોમાં ત્રણ વયસ્કો અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. આ ઘટના અલીનગર બ્લોકના બહેરા પોલીસ સ્ટેશનના અંતોર ગામમાં બની હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે જિલ્લાના અલીનગર બ્લોકના બહેરા પોલીસ સ્ટેશનના અંતોર ગામમાં ગુરુવારે રાત્રે છગન પાસવાનની પુત્રીના લગ્ન યોજાયા હતા. રામચંદ્ર પાસવાનના રહેણાંક સંકુલમાં શામિયાણા અને જાનૈયાઓના રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. લગ્નના વરઘોડામાં પહોંચતા જ તેઓએ ફટાકડા ફોડ્યા જેના કારણે ટેન્ટમાં આગ લાગી ગઈ. થોડી જ વારમાં આખા ટેન્ટમાં આગ લાગી અને આ દરમિયાન ત્યાં રાખેલા સિલિન્ડરમાં પણ આગ લાગી અને વિસ્ફોટ થયો.
સિલિન્ડર વિસ્ફોટ બાદ આગે ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું જ્યારે તેણે રામચંદ્ર પાસવાનના ઘરના દરવાજા પર રાખેલા ડીઝલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને તેમના પરિવારના 6 લોકોના મોત થયા હતા. ડીએમ રાજીવ રોશને પુષ્ટિ કરી કે ટીમ તપાસ માટે રવાના થઈ ગઈ છે. આ ઘટનામાં ત્રણ પશુઓના પણ મોત થયા હતા.