ઓલપાડના કુડસદ ગામે આવેલા રણછોડ નગર માંથી ગુમ થયેલા બંને કિશોરોના મૃતદેહ નહેરના પાણીમાંથી મળી આવ્યા હતા. ગઈકાલે સાંજના સમયથી બંને ગુમ થયા હતા. ભારે શોધખોળ બાદ રાત્રે બંનેના કપડાં અને ચપ્પલ પિપોદ્રા ગામ નજીક નહેરમાં ઉતરવાના દાદર પાસેથી મળી આવ્યા હતા. જોકે જે સાયકલ પર બંને ગયા હતા એ સાયકલ હજુ મળી નથી
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામે કીમ મનડવી રોડ પર આવેલા રણછોડ નગરમાંથી ગઈકાલે આશરે 5 વાગ્યાના આસપાસ સત્યમ મિશ્રા (ઉં.વ.13) અને કરણ કુશવાહા (ઉં.વ.15) નામના બે કિશોરો ગુમ થઈ ગયા હતા. ગુમ થયાની જાણ થતાં જ કીમ પોલીસ અને પરિવારજનો બંને કિશોરોની શોધખોળમાં લાગી ગયા હતા. કીમ પોલીસે બંને સગીરોના અપહરણની ફરિયાદ પણ નોંધી હતી. જોકે આજરોજ બંને કિશોરોના મૃતદેહ ઓલપાડના ભાદોલ અને કાછબ ગામે અલગ અલગ જગ્યાએથી કેનાલના પાણીમાં તરતા મળી આવતા ચકચાર મચી ગઇ હતી.