19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં મતદારો 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો પર 1717 ઉમેદવારોને મત આપશે. પ્રથમ, બીજા અને ત્રીજા તબક્કા માટે મતદાન થયું છે. આ તબક્કામાં અનેક કેન્દ્રીય મંત્રીઓની સાથે એક પૂર્વ મુખ્યમંત્રી પણ ચૂંટણી મેદાનમાં છે. ચોથા તબક્કાનું મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં એક મતદાન મથકની બહાર મતદારોની કતારો જોવા મળી રહી છે. નેશનલ કોન્ફરન્સ (NC) એ શ્રીનગર લોકસભા સીટ પરથી આગા સૈયદ રૂહુલ્લા મેહદીને મેદાનમાં ઉતાર્યા છે, પીડીપીએ વહીદ-ઉર-રહેમાન પારા અને જમ્મુ અને કાશ્મીર અપની પાર્ટીએ મોહમ્મદ અશરફ મીરને મેદાનમાં ઉતાર્યા છે
AIMIM પ્રમુખ અને હૈદરાબાદ લોકસભા સીટના ઉમેદવાર અસદુદ્દીન ઓવૈસીએ પોતાનો મત આપ્યા બાદ કહ્યું, ‘હું ભારતીય રાષ્ટ્રવાદનો ચહેરો છું. મોદી સરકારે સેનામાં અગ્નિવીર યોજના લાગુ કરી છે. જો મોદી ફરી સરકારમાં આવશે તો તેઓ BSF, CRPF, SSB, RPFમાં પણ આવી જ યોજના લાગુ કરશે. મોદીએ 400 પાર કરવાનો નારો આપ્યો, ભારતના દલિતો અને બંધારણને ચાહનારા સમજી ગયા કે 400 પાર કરો એટલે બંધારણ જતું રહેશે.