બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હેલિકૉપ્ટરની તપાસ કરવાના વિપક્ષના આરોપોને ફગાવી દીધા છે. ચૂંટણી પંચે કહ્યું કે આ એક નિયમિત પ્રક્રિયા હતી અને આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના પ્રમુખ જેપી નડ્ડાના હેલિકૉપ્ટરની પણ તપાસ કરવામાં આવી હતી.
ખડગે શનિવારે બિહારમાં ચૂંટણી રેલીને સંબોધિત કરવા પહોંચ્યા હતા. સમસ્તીપુરમાં ખડગેના હેલિકોપ્ટરની તપાસ કરવામાં આવી હતી. તે બાદ કોંગ્રેસ અને INDIA ગઠબંધનના સહયોગીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. બિહારના સીઇઓએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, “આ આરોપ છે કે માત્ર એક રાષ્ટ્રીય પાર્ટીના નેતાના હેલિકોપ્ટરની તપાસ કરવામાં આવી, જે ખોટા છે.પોસ્ટમાં સીઇઓએ ખડગે કે કોંગ્રેસનું નામ લીધુ નહતું પરંતુ જણાવ્યું કે અમિત શાહ અને જેપી નડ્ડાના હેલિકોપ્ટરની પણ આ રીતે તપાસ કરવામાં આવી હતી જ્યારે તે ગત મહિને બિહારમાં હતા.”
ચૂંટણી અધિકારીએ કહ્યું, “ચૂંટણી દરમિયાન હેલિકોપ્ટરની તપાસ નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો દ્વારા નક્કી SOP અનુસાર કરવામાં આવે છે.મહત્ત્વપૂર્ણ છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હેલિકોપ્ટરની તપાસ બાદ બિહાર કોંગ્રેસના પ્રવક્તા રાજેશ રાઠોડે આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પંચના અધિકારી વિપક્ષી નેતાઓને નિશાન બનાવી રહ્યાં છે જ્યારે ભાજપના નેતૃત્વ ધરાવતા NDAના નેતાઓને સ્વતંત્ર રીતે ફરવાની પરવાનગી આપવામાં આવી છે.